કચ્છ ભાજપના નેતાઓ બળાત્કાર કેસમાં કેમ ફસાઈ રહ્યાં છે?

PC: Indiatimes.com

નલિયાકાંડ બાદ કચ્છના વધુ એક ભાજપના નેતા જયંતી ભાનુશાળીનું અન્ય એક દુષ્કર્મ કેસમાં નામ આવતા કચ્છ અને રાજ્યના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. ભાજપના રાજમાં લૂંટફાટ અને બળાત્કારની ઘટનાઓમાં વધારો થયો છે એવા ઓરોપો વિરોધ પક્ષ ભાજપ પર મૂકી રહ્યો છે. ભાજપના શાસનમાં નલિયાકાંડ થયો અને હવે સુરત કાંડ થયો છે. ગુજરાતમાં બહેન- દીકરીઓ અને મહિલાઓ સલામત નથી એવું કોંગ્રેસે જાહેર નિવેદન પણ કર્યું છે. ભાજપના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. એવા આરોપો પણ વિરોધ પક્ષ તરફથી થઈ રહ્યાં છે. ત્યારે કચ્છ ભાજપના નેતાઓ અને ભાજપની કાર્યકર યુવતી પર થયેલાં બળાત્કાર કેસ અને સુરતની યુવતી સાથે ભાજપના ઉપપ્રમુખે કરેલો બળાત્કાર વચ્ચે અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે શું સંબંધ હોય શકે તેની અહીં સુરતના બળાત્કારની સિલસિલા બંધ વિગતો આપી છે. પોલીસ જો સારી રીતે તપાસ કરે તો તેમાં અનેક નેતાઓના નામ બહાર આવે તેમ છે. પણ જે નલિયા બળાત્કાર કેસમાં થયું એવું સુરત બળાત્કાર કેસમાં થાય છે કે કેમ તે સમય કહેશે. પણ પોલીસ પ્રત્યે પહેલાથી જ શંકાના બીજ રોપાઈ ગયા છે.

ખંડણી માંગી

ભાજપના ઉપપ્રમુખ અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીએ ફરિયાદ કરી હતી તે તેમના ભત્રીજા પાસેથી એક મહિલાએ રૂ. 10 કરોડની ખંડણી માંગી છે. જયંતી ભાનુશાળીના અમદાવાદમાં રહેતા ભત્રીજા અને વેપારી સુનીલ ભાનુશાળીને અમદાવાદના કચ્છી ભુવનમાં બેભાન કરીને એક મહિલાએ અશ્લીલ વીડિયો ઉતારી લીઘો છે. તે વીડિયો ક્લિપ તેના સમાજમાં ફરતી કરી દેવાની ધમકી આપીને સુનીલ ભાનુશાળી પાસેથી રૂ. 10 કરોડ માંગીને બ્લેક મેઈલ કરી રહી હોવાનો આરોપ જયંતી ભાનુશાળીએ મૂક્યો હતો. મહિલાએ એવી ધમકી પણ આપી હતી કે સુનીલે અન્ય મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે તેની પણ ફરિયાદ નોંધાવવામાં આવશે. જયંતી ભાનુશાળીના ભત્રીજાની કઢંગી વીડિયો ક્લિપ ઉતારીને ખંડણી ઉઘરાવવાના કેસમાં પોલીસે મુખ્ય મહિલા આરોપી મનીષા ગૌસ્વામીની ધરપકડ કરી હતી. કચ્છ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી સામે મનિષાએ આપેલા બાંહેધરીપત્રમાં એવું જણાવ્યું હતું કે, જયંતી ભાનુશાળી સાથે 10 વર્ષ પહેલાં ઓળખાણ થઈ હતી. જ્યારે ભાનુશાળી સાથે સંબંધો બંધાયા હતા. બન્ને વચ્ચે 6 વર્ષ સંબંધ રહ્યાં હતા. છેલ્લાં 4 વર્ષથી તેમની વચ્ચે મનમેળ રહ્યાં ન હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ મહિલાને રૂપિયાની જરૂર હોવાથી તેમણે જયંતી પાસેથી રૂપિયા માંગ્યા હતા. ભાનુશાળીએ આંગડિયા મારફતે રૂ. 25 લાખ મોકલાવ્યા હતા. તે યુવતિને વધું નાણાંની જરૂર પડતાં રૂ. 5 લાખ ફરી માંગ્યા હતા. તે આપીને બન્નેએ સમાધાન કરી લીધું હતું. ભવિષ્યમાં જયંતી ભાનુશાળીને હેરાન નહીં કરે એવી બાહેંધરી આ યુવતીએ આપી હતી. જે અંગે પોલીસ દ્વારા મનીષા નામની મહિલાની ધરપકડ પણ કરી હતી. આ મહિલા દ્વારા સુરત ખાતેથી અન્ય કોઈ છોકરી મારફત આ અરજી કરાવી હોવાનું ભાનુશાળી માને છે. તેમને આ અંગે ખબર પડી હોય તેમ ભાનુશાળીએ એકાએક જાહેરાત કરી હતી કે, ત્રણ મહિના અગાઉ મેં પોલીસ મથકોમાં અરજી કરી હતી કે કોઈ મારા વિરુદ્ધ કોઈ ષડ્યંત્ર રચાઈ રહ્યું છે જેના કારણે મારી વિરુદ્ધ એક યા બીજા પ્રકારની ફરિયાદો થશે. આ પ્રકરણ ભાજપના નેતાઓને જે રીતે નલિયા કાંડ જેવી સંડોવણી કરતું હતું.

નલિયા બળાત્કાર કાંડ

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાના બહુચર્ચિત એવા નલિયા કાંડમાં પણ જયંતી ભાનુશાળી સામે છાંટા ઉડ્યા હતા. નલિયા સામુહિક બળાત્કાર કાંડમાં ભાજપની અનેક કાર્યકરો ઉપર બળાત્કાર કરવામાં આવ્યા હોવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. કૌભાંડની તપાસ શંકર ચૌધરીને સોંપવામાં આવી હતી અને તપાસ પર ફીંગલું વાળી દેવાયું હતું. તેમાં ભાજપના અનેક નેતાઓ સંડોવાયેલાં હોવાથી પોલીસ પણ તેમાં કંઈ કરવા તૈયાર નથી. પીડિતા આજે પણ ન્યાય માંગી રહી છે. પણ તે સમગ્ર પ્રકરણમાં ભાજપના અનેક નેતાઓ સંડોવાયેલા હોવાથી તેના પર પડદો પાડી દેવામાં આવ્યો છે. આમ જયંતી ભાનુશાળી સામે એક પછી એક વિવાદો ઊભા થઈ રહ્યા છે. જેના કારણે છેલ્લા બે ત્રણ વર્ષથી તેઓ એક યા બીજા કારણોસર સતત વિવાદમાં ઘેરાયેલા રહ્યાં છે. ભાજપની કાર્યકરો ઉપર જ ભાજપના નેતાઓએ બળાત્કાર કર્યા હતા.

21 વર્ષની વિદ્યાર્થિનીએ બળાત્કારની ફરિયાદ કરી

સુરતમાં યોગીચોક વિસ્તારમાં રહેતી ગુજરાતના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પક્ષના ઉપપ્રમુખ જયંતી ભાનુશાળી પર એક યુવતીએ બળાત્કારની ફરિયાદ કરી હતી. 12 ધોરણ પાસ કરીને આ યુવતી ફેશન ડિઝાઈનિંગનું ભણવા માંગતી હતી. તેથી ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કરાવતી સંસ્થામાં તે પ્રવેશ લેવા માગતી હતી. તેથી તેના એક સબંધી જયંતી ભાનુશાળી પાસે આ યુવતિને લઈ ગયો હતો. 2017મા યુવતીની મુલાકાત જયંતી ભાનુશાળી સાથે થઈ હતી. તેમણે મને ગમે તે કોલેજમાં પ્રવેશ અપાવી દેવાની વાત કરી હતી. પ્રારંભમાં એક બે વખત મને અમદાવાદ બોલાવી હતી. તેના અભ્યાસને લગતા કાગળો માગ્યા હતા. તે સમયે તેમણે યુવતી સાથે એક પિતા જેવું વર્તન કર્યું હતું. યુવતીએ અરજીમાં જણાવ્યું છે કે, નવેમ્બર, 2017ની આસપાસ જયંતી ભાનુશાળીએ મને ફોન કરીને મારા ઓરિજિનલ સર્ટિફિકેટ સાથે અમદાવાદ આવવા કહ્યું હતું. આ સમયે તેમણે ગાંધીનગર જવું પડશે તેવું કહીને તેઓ મને એક કાળા રંગની કારમાં બેસાડીને હાઈવે પર લઈ ગયા હતા. પ્રવેશ આપવાની લાલચ આપીને અમદાવાદના એક ખેતરમાં તેના ઉપર બળાત્કાર ભાનુશાળી દ્વારા કરાયો હતો. આવી ગંભીર ફરિયાદ છતાં સુરત પોલીસે બીજા દિવસે બપોર સુધી કોઈ FIR નોંધી ન હતી. કાપોદ્રામાં રહેતી 21 વર્ષની યુવતીએ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી પર તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરતી અરજી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કરી હતી. કોપાદ્રામાં યોગીચોક વિસ્તારમાં રહેતી 21 વર્ષીય વિદ્યાર્થિનીને 10મી જુલાઈના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જયંતી પરષોત્તમ ભાનુશાળી વિરુદ્ધ અરજી આપી હતી.

બંદૂકની અણીએ બળાત્કાર

સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતી ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કરતી 21 વર્ષની વિદ્યાર્થીનીએ ધોરણ 12 પાસ કર્યા બાદ ફેશન ડિઝાઇનિંગનો કોર્ષ કરવો હતો. આ દરમિયાન 2017મા યુવતીની મુલાકાત જયંતી ભાનુશાળી સાથે થઈ હતી. જયંતી ભાનુશાળીએ અમદાવાદમાં કોલેજમાં પ્રવેશ અપાવવાને બહાને તેને ગાંધીનગર બોલાવી હતી. ગાંધીનગર હાઈવે ઉપર એક ખેતરમાં લઈ જઈને એક વર્ષ પહેલા યુવતીને તેની મહિન્દ્રા કંપનીની ગાડીમાં જયંતી ભાનુશાળીએ યુવતી સાથે રેપ કર્યો હતો. આ સમયે તેનો ડ્રાઇવર અને એક બંદૂક ધારી યુવાન ગાડીની આસપાસ ધ્યાન રાખવા માટે ઊભા રહ્યા હતા. આ સમયે જયંતી ભાનુશાળી પાસે ચપ્પુ હતું તેમજ તેની સાથે રહેલા લોકો પાસે બંદૂક હોવાથી તે ખૂબ ડરી ગઈ હતી. તે સમયે ભાનુશાળીએ યુવતિને કહ્યું હતું કે તારા જેવી અનેક છોકરીએ એડમિશન લેવા માટે આવે છે, એડમિશન એમ જ થોડું મળી જાય.

વીડિયો ઉતાર્યો

ભાજપના નેતા ભાનુશાળી બળાત્કાર કરી રહ્યાં હતા ત્યારે તેની સાથે આવેલા એક વ્યક્તિએ વીડિયો પણ ઉતાર્યો હતો. લાઈવ રેકોર્ડિંગ કરી રહ્યો હતો. જેનું શૂટિંગ એક મોબાઈલ ફોનમાં કરવામાં આવી રહ્યું હતું. બળાત્કારની ઘટનાનો લાઈવ વીડિયો ઉતારી લીધા પછી જયંતી ભાનુશાળીએ ભોગ બનેલી યુવતીને ધમકી આપી હતી કે એ જ્યાં બોલાવે ત્યાં નહીં આવે તો આ વીડિયો વાયરલ કરવામાં આવશે. જયંતી ભાનુશાળીએ યુવતીને અન્ય સાથે સંબંધો રાખવા પણ મજબૂર કરી હતી. ગત એપ્રિલ માસમાં આ યુવતીને ગાંધીનગર બોલાવી હતી. તેની પાસે કોરા કાગળમાં સહી પણ ભાજપના નેતાએ કરાવી લીઘી હતી. બંદૂકની અણીએ બળાત્કાર થતો હતો તેની વીડિયો ક્લિપ પેન ડ્રાઈવમાં નાંખીને આ બળાત્કારની ક્લિપ યુવતીને આપી હતી. હાઈવે પર કારમાં દુષ્કર્મ કર્યું હતુ. કારમાં કુકર્મનો વીડિયો મોબાઈલમાં ઉતારી લેવાયો હતો અને આ વીડિયો થકી ભાનુશાળી પીડિતાને બ્લેકમેલ કરી હોટલમાં લઈ જઈ શોષણ કર્યું હોવાનો પણ પીડિતાએ આરોપ મૂક્યો હતો.

યુવતીએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે જયંતી ભાનુશાળી વગદાર માણસ છે અને તેઓ અન્ય સાથે શારિરીક સંબંધો રાખવા તેમને મજબૂર કરે છે. આવું ના કરવાથી ઘરે પોલીસ મોકલે છે અને પરિવારને હેરાન કરે છે.

રાજીનામું માગી લેવાયું

ભાજપના રાષ્ટ્રીય નેતાની સાથે ભાનુશાળીને સારા સંબંધો હોવાથી તેને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ બનાવાયા હતા. જો કે યુવતી આ ગંભીર આરોપ પછી જયંતી ભાનુશાળીએ પોતાને નિર્દોષ ગણાવીને પ્રદેશ પ્રમુખને રાજીનામું મોકલી આપ્યું હતું. ખરેખર તો તેનું રાજીનામું માગી લેવામાં આવ્યું હતું. કારણ કે દેશના તમામ અખબારો અને ટીવીમાં ભાજપના આ નેતાના કાળા કરતૂતોની વિગતો આપવામાં આવી રહી હતી અને તેથી દેશભરમાં ભાજપની છાપ ખરડાઈ રહી હતી. આમેય કચ્છમાં અગાઉ ભાજપના નેતાઓ નલિયા બળાત્કાર કાંડથી સમગ્ર વિશ્વમાં બદનામ થઈ ચૂક્યા હતા. આ વધુ એક કચ્છના નેતા બળાત્કાર કેસમાં સંડોવાયેલાં બહાર આવ્યા છે. તેથી ભાજપની બદનામી રોકવા માટે તેમનું રાજીનામું માગી લેવામાં આવ્યું હતું. કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીએ મોકલેલા રાજીનામાં લખ્યું હતું કે તેમની વિરૂધ્ધ કાવતરું ઘડાયું છે. વિરોધીઓ દ્વારા ષડ્યંત્ર રચાયું છે. હું જ્યાં સુધી મારી નિર્દોષતા સાબિત ન કરું ત્યાં સુધી હું કોઈ પદ પર રહું નહીં તેવી મારી લાગણી છે. હું પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપું છું. આ કેસની તટસ્થ તપાસ થાય તે માટે મે મહત્ત્વના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાની પણ રાજકીય દલીલ કરી હતી. તેમણે પોતાના બચાવમાં જાહેર કરી દીધું હતું કે, રાજકારણમાં એકબીજાને પતાવવા માટે આવા કાવતરા થયા છે. તેમણે કોઈનું નામ આપવાનો પણ ઈન્કાર કરી લીધો હતો. તેમણે કોઈના પર આક્ષેપ કરતાં નથી એવું કહ્યું હતું. જયંતી ભાનુશાળીએ લાજ નેવે મૂકીને કહ્યું હતું કે, મેં કેટલાંક લોકોને જેલમાં નંખાવ્યા તેના કારણે મારા પર આવી ખોટી ફરિયાદો કરવામાં આવી હોય એવું બની શકે છે.

ગૃહ વિભાગને મેઈલ કર્યો

સામાન્ય રીતે જ્યારે નેતાઓ ફસાવાના હોય છે ત્યારે તેમાંથી છટકબારી શોધવા માટે અગાઉથી બહાના શોધી કાઢીને છીંડા ઊભા કરતાં હોય છે. પોતાની પર લાગેલાં આરોપો સામે ભાજપના ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીએ પોતાના પર કાદવ ઉછાળવામાં આવશે તેવું માનીને આ બાબતે ત્રણ મહિના અગાઉ ગૃહવિભાગ અને પોલીસને મેઈલ કરીને માહિતી આપી હતી. તેમણે નફ્ફટ થઈને આવું જાહેર કર્યું હતું કે તેમની સામે માત્ર અરજી થઈ છે, નહીં કે FIR. જયંતી ભાનુશાળીએ વધુમાં જણાવ્યું હતું કે ચારેક માસ પહેલા તેમના ભત્રીજાને બ્લેકમેલ કરાયો હતો. ત્યારે બ્લેકમેલ કરનાર મનિષા નામની છોકરી અને તેની ગેંગ વિરૂદ્ધ નરોડામાં ફરિયાદ કરી હતી. આક્ષેપ કરનાર યુવતી આ ગેંગની હોય શકે છે અને બદલો લેવા માટે આવી અરજી કરી હોય શકે છે.

પોલીસની શંકાસ્પદ ભૂમિકા

કાપોદ્રા PI આર. એલ. દવેએ જાહેર કર્યું હતું કે તેમને નનામી અરજી મળી છે. અરજીમાં યુવતીનું જે સરનામું છે ત્યાં આ યુવતી મળી આવી નથી. માટે હાલ તો આ નનામી અરજી છે. તેના આધારે તપાસ કરાઈ રહી છે, માટે અરજીમાં શું છે તે કહી શકાય નહીં. નનામી અરજી હોવાથી આક્ષેપોની સત્યતા બાબતે કંઈ કહી શકાય નહીં. પહેલાં તો પોલીસે આવી કોઈ અરજી આવી નથી એવું કહ્યું હતું. પછી સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ જાહેર કરવું પડ્યું હતું કે અરજી મળી છે અરજીની તપાસ કાપોદ્રા પોલીસને સોંપી છે. અરજીમાં થયેલા આક્ષેપોના તપાસ બાદ આગળની આગળની કાર્યવાહી થશે. પોલીસે સુરતની યુવતીની ફરિયાદના આધારે ભાજપના ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી સામે આખરે અપહરણ, દુષ્કર્મ, ધમકી, કાવરતું સહિત 14 કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. અરજીના આ કેસમાં પાંચ દિવસ વીતી ગયા છતાં પોલીસ તપાસના નામે મોટું મીંડુ હતું. કોઈ અરજી કે ફરિયાદ ના મળી હોવાની વાત કર્યા પછી સુરતના પોલીસ કમિશન સતિશ શર્મા કહે છે કે, તેમને 10 જુલાઈના રોજ અરજી મળી હતી અને તેને કેસને લગતા પોલીસ સ્ટેશનમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે.

ધમકી મળતા યુવતી ગાયબ થઈ, વીડિયોમાં પોલીસને નિવેદન મોકલાવ્યું

ભોગ બનેલી લાચાર યુવતીની અરજી ઉપર પોલીસ એક સપ્તાહથી કંઈ કરી રહી ન હોવાથી તેણે પોતાના નિવેદનનો એક વીડિયો પોલીસ સુધી પહોંચાડ્યો હતો. જેમાં યુવતીએ શા માટે સામે આવતી ન હતી તે વિશે વાત કરી રહી હતી. તે કહી રહી હતી કે તેને ધમકી મળતાં તે સુરક્ષિત જગ્યાએ જતી રહી હતી. 10 તારીખે યુવતીએ પોલીસને દુષ્કર્મની અરજી આપી હતી. અરજી આપ્યા બાદ યુવતીને ભય લાગતાં તે પોતાનું ઘર છોડીને કુટુંબ સાથે સલામત સ્થળે જતી રહી હતી. પોલીસ માનતી હતી કે તે ગાયબ થઈ હતી. તેથી આ સમગ્ર કેસ ચર્ચાની એરણે ચડ્યો હતો. પોલીસમાં કરવામાં આવેલી અરજી કાપોદ્રાથી લઈને વરાછા અને આખરે સરથાણા પોલીસ સ્ટેશન પહોંચી હતી. ઇન કેમેરા પીડિતાનું નિવેદન લઈ ગુનો નોંધાવાયો હતો. સરથાણા પોલીસ મથકે નોંધાયેલા આ ગુનાની તપાસ DCP લીના પાટીલ કરશે. જયંતી ભાનુશાળી વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ થયો તે પહેલા યુવતીનો એક વીડિયો વારયલ થયો હતો. વીડિયોમાં યુવતીને ધમકી મળતાં સુરક્ષિત જગ્યાએ જતી રહી હોય, તેણે ન્યાયની માગ કરી હતી. વીડિયોમાં યુવતી જણાવે છે કે, કેસ ન કરવા માટે તેને ધમકી મળી રહી છે. તેના પરિવારને પણ જોખમ હોવાથી તેમણે પણ ઘર છોડ્યું હતું. સાથે જ પોલીસ અને અમુક લોકો અરજી બાદ સતત તેણીના ઘર પર આવતાં હોવાનું પણ તેણીએ આક્ષેપ કર્યો હતો અને માત્ર ન્યાયની માગણી કરતી હોવાનું વીડિયોમાં વધુમાં સાંભળવા મળે છે. પીડિતાનો કોઈ પત્તો નહિ લાગતા વિમાસણમાં મુકાઈ ગયેલી પોલીસે પીડિતાના ઘરે જઈ દરવાજાની બહાર પોલીસમાં નિવેદન નોંધાવવા હાજર થવા અંગેની એક નોટિસ ચોંટાડી હતી.

મારા પર દબાણ, હું હારવાની કે ડરવાની નથી

પીડિતાએ જણાવ્યું હતું કે જયંતી ભાનુશાળી સામેની ફરિયાદ બાદ તે ચોમેરથી ભીંસમાં મુકાઈ હતી. ફરિયાદ દબાવવા માટે અમારા ઘરે ગુંડાઓ, પ્રેસવાળાઓ અને પોલીસવાળા મોકલવામાં આવી રહ્યાં છે. ખૂબ પ્રેશર ઊભું કરાઈ રહ્યું છે. પરિવારજનો ડિપ્રેશનમાં આવી ગયા છે. હાલ હું સેફ જગ્યાએ છું. પોલીસ ગુનો નોંધશે એટલે કાર્યવાહી માટે આવીશ. હું હારવાની કે ડરવાની નથી. મને ન્યાય અને માત્ર ન્યાય જ જોઈએ છે.

ફરિયાદ પરત ખેંચી હોવાની અફવા

બાદમાં યુવતીએ ભાનુશાળી સામે કરેલી અરજી પરત ખેંચવા પણ આવી હોવાનું ચર્ચા શરૂ થઈ હતી. પણ આ બધા વળાંક વચ્ચે કોંગ્રેસના કાર્યકરોની સાથે યુવતી પોલીસ કમિશનર કચેરી હાજર થઈ હતી. તેને ભય હતો કે ભાજપના નેતા હોવાથી આખી ફરિયાદ રફેદફે કરી નાંખશે અને તેને મારી નાંખશે તેથી તે રાજકીય પક્ષનો સહારો લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ સમક્ષ હાજર થઈને નિવેદન નોંધીને ફરીયાદ દાખલ કરી હતી. ભાજપનાં પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી પર દુષ્કર્મનાં આરોપ મામલે પીડિતાનું નિવેદન નોંધાય તે પહેલાં જ ઘર્ષણનાં દ્રશ્યો સામે આવ્યાં હતા. સુરત પોલીસ કમિશનરની કચેરીએ પીડિતા નિવેદન નોંધાવવા માટે પહોંચી હતી ત્યારે પોલીસ કમિશનરની કચેરીએ મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો પણ પહોંચ્યાં હતાં. પોલીસે કોંગ્રેસનાં કાર્યકરોને રોકતા ત્યાં ભારે ઘર્ષણ સર્જાયું હતું. આ ઘર્ષણ બાદ પોલીસે 8 કાર્યકરોની અટકાયત પણ કરી હતી. પોતે માનસિક રીતે પરેશાન થઈ ગઈ હોવાથી અરજીની તપાસ અટકાવી દેવી વગેરે રજૂઆત સાથે ફરતા થયેલા પત્રએ પણ ચક્ચાર મચાવી હતી. પછી તે પત્ર બોગસ રીતે કોઈક દ્વારા જાહેર કરાયો હોવાનું બહાર આવ્યું હતું. આ પત્ર કોણે લખ્યો હતો તે શોધવાની જરૂર પોલીસને આજ સુધી લાગી નથી.

વારંવાર બળાત્કાર થયો, નગ્ન વીડિયો કોલિંગ ભાજપના નેતા કરાવતાં હતા

વીડિયો ઉતાર્યા પછી જયંતી ભાનુશાળીએ યુવતીને અન્ય સાથે સંબંધો રાખવા પણ મજબૂર કરી હતી. 2018ના એપ્રિલ માસમાં આ યુવતીને ગાંધીનગર બોલાવી અને તેની પાસે કોરા કાગળમાં સહી લઈને પેન ડ્રાઈવમાં આ બળાત્કારની ક્લિપ આપી હતી. યુવતીએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે જયંતી ભાનુશાળી વગદાર માણસ છે અને તેઓ અન્ય સાથે શારિરીક સંબંધો રાખવા તેમને મજબૂર કરે છે. આવું ન કરવાથી ઘરે પોલીસ મોકલે છે અને પરિવારને હેરાન કરે છે. નગ્ન કરીને વીડિયો કોલિંગ ભાજપના નેતા કરાવતાં હતા. મોબાઈલમાં વીડિયો બનાવી તેને વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતીને નગ્ન હાલતમાં વીડિયો કોલિંગ કરવાની ફરજ પાડી હતી તેમજ અલગ અલગ જગ્યાએ બોલાવી દુષ્કર્મ કર્યું હતું. પોલીસ ફરિયાદ બાદ યુવતીને મેડિકલ પરીક્ષણ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. તેમજ તેણે મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો. ત્યારબાદ જયંતી ભાનુશાળીએ આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતીને અવાર નવાર નગ્ન હાલતમાં વીડિયો કોલિંગ કરવાની ફરજ પડાવી હતી. તેમજ અલગ અલગ જગ્યાએ બોલાવી બળાત્કાર કર્યો હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કર્યો છે.

જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

યુવતીએ અરજીમાં જણાવ્યું છે કે, માર્ચ-2018મા જયંતી ભાનુશાળીએ મને ફોન કરીને અમદાવાદ આવવા જણાવ્યું હતું. આ સમયે હું સુરતથી બસમાં બેસીને અમદાવાદ આવી ત્યારે મને તેનો ડ્રાઇવર એરપોર્ટ ખાતે આવેલી એક હોટલમાં લઈ ગયો હતો. આ હોટલમાં આ સમયે તેમણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને મને બીજા પુરુષ પાસે જવાનું પણ કહ્યું હતું. પરંતુ તે સમયે મેં આ વાત માનવાનો ઇન્કાર કરી દીધો હતો, જેના કારણે તેમણે મને ગાળો ભાંડી હતી અને મને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અરજી પર સહી કરાવી લીધી હતી

યુવતીએ અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે, તા. 24-04-2018ના રોજ જયંતી ભાનુશાળીના માણસો મારા ઘરે આવ્યા હતા અને તેમના માણસોએ મારી પાસેથી એક અરજી પર બળજબરીથી સહી કરાવી લીધી હતી. આ અરજીમાં લખ્યું હતું કે, હું જયંતી ભાનુશાળીને ઓળખતી નથી. બાદમાં તેમના માણસો પૈકીના એક વ્યક્તિએ મને એક પેન ડ્રાઈવ આપી હતી. આ પેન ડ્રાઈવમાં રહેલા વીડિયો જોઈને મને જયંતી ભાનુશાળીને ફોન કરવાનું કહ્યું હતું. આ પેન ડ્રાઈવમાં મારા અને જયંતી ભાનુશાળીનો વીડિયો હતો.

અન્ય પુરુષ સાથે સંબંધ બાંધવા દબાણ

યુવતીએ અરજીમાં જણાવ્યું છે કે, તેઓ પૈસાના જોરે અવાર નવાર મારા ઘરે પોલીસ મોકલીને અમને ધમકાવતા હતા. એટલું જ નહીં, ભાનુશાળી મને અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા માટે પણ દબાણ કરતા હતા. જેના કારણે આ તમામ વાતોથી કંટાળીને છેવટે મારે આ મામલે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી. હું તેમજ મારો પરિવાર ખૂબ જ માનસિક તણાવમાં છીએ. જો અમને કંઈ થશે તો તેની જવાબદારી જયંતી ભાનુશાળીની રહેશે

બોગસ આધાર કાર્ડ બનાવાયું

ગુજરાત ભાજપમાં મોટાગજાના નેતા જયંતી ભાનુશાળી સામે યુવતીએ દુષ્કર્મની અરજી તા. 10-7-18ના રોજ આપી હતી. જયંતી ભાનુશાળી, તેનો ડ્રાઈવર, બંદૂકધારી અને અરજી પાછી ખેંચી લેવા માટે ધમકી આપનાર અજાણ્યા સામે પોલીસે બળાત્કાર, આર્મસ અને આઈટી એક્ટ સહિતની કુલ 14 કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. ધમકી આપનારાઓએ યુવતીના ઘરે આવી તેના ફાટોવાળું આધાર કાર્ડ બનાવી તથા હું કોઈ જયંતી ભાનુશાળીને ઓળખતી નથી. તેવી અરજીમાં તેમના માણસો બળજબરીથી સહી કરાવી ગયા હતા અને પરિવારને ગમે તેમ ફસાવી દેવાની તેમજ જાનથી મારી દેવાની ધમકી આપી હતી.

સ્મીમેરમાં મેડિકલ તપાસ

સરથાણા પોલીસમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ આજે યુવતીને તબીબી પરીક્ષણ માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ આવવામાં આવી હતી. જ્યાં યુવતીની સાથે અન્ય મહિલાને પણ ઓળખ ન થાય તે માટે બુકાની પહેરાવવામાં આવી હતી. મહિલા પોલીસના કાફલા સાથે મહિલાને ગાયનેક વોર્ડમાં પરીક્ષણ અર્થે લઈ જવામાં આવી હતી.

છબિલદાસ પટેલ કેમ હાર્યા?

ડિસેમ્બર 2017મા ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં અબડાસા બેઠક પરથી ભાજપ ઉમેદવાર છબિલદાસ પટેલની હાર થઈ તેમાં 'દુશ્મનો કો ઢીંચકિયાંઉ..' વીડિયો છબીલ પટેલે 2 જાન્યુઆરી, 2018ના રોજ પોસ્ટના કરવાના પગલે ભાજપમાં દબાઈ રહેલો જૂથવાદ સામે આવી ગયો હતો. તેમની હાર માટે આ જૂથવાદને મુખ્ય કારણ ગણાવાય છે. પટેલના જવાબમાં ભાજપના નરેન્દ્રસિંહ અને અનુપસિંહ નામના બે કાર્યકરો હાથમાં પિસ્તોલ લઈ ઐસે ઢીસુમ ઢીસુમ નહીં હોતા હૈ..જો સાધન મેરે હાથ મેં ઊસી સે ઢીસુમ હોતા હૈ, દુશ્મન ઈસી સે મરતા હૈ..' વીડિયો મૂક્યો હતો. આ બંને કાર્યકરો ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીની નિકટના હોવાથી અંદાજ લગાવી શકાય છે કે પટેલને હરાવવા માટે કેટલી અને કેવી મહેનત કરવામાં આવી હશે તો બીજી તરફ છબીલ પટેલ સામે ભાજપના વિરોધી જૂથમાં કેટલું ખુન્નસ છે તે પણ બહાર આવ્યુ છે. ચૂંટણી પૂર્વે જયંતી ભાનુશાળી અને છબીલ બંને મજબૂત દાવેદાર ગણાતા હતા. પરંતુ ભાજપે ભાનુશાળીને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવીને પટેલની ટિકિટ માટેનો રસ્તો સરળ બનાવી દીધો હતો. ભૂતકાળમાં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને પેટા ચૂંટણી લડનારા છબીલ પટેલ હતા તેમને ખતમ કરવા માટે ભાનુશાળી કાયમ આગળ પડતાં હતા.

2007ની ચૂંટણી અને ભાનુશાળી

2007માં અબડાસામાં તેઓ ચૂંટણી લડ્યા હતા. ત્યારે તેની સંપત્તિ માત્ર રૂ. 97.41 લાખ જ હતી. અને બેંકનું દેવું રૂ. 1.61 કરોડ હતું. ત્યારે તેની સામે કોઈ ફોજદારી ગુના ન હતા. તેના હાથ પરની રોકડ રકમ રૂ. 50 હજાર હતી. બેંકમાં એક પણ રૂપિયાના બાંધી મૂતની થાપણો ન હતી. 25 હજારના શેર હતા. રૂ. 89 હજારની વિમાની પોલીસી હતી. ઈનોવા, એક્ટિવા મળીને રૂ. 10 લાખના વાહનો હતો. રૂ. 3.25 લાખના ઘરેણા હતા. રૂ.48 લાખની ખેતીની જમીન હતી. રૂ. 4.81 લાખની બિનખેતીની જમીન હતી. રૂ. 26 લાખનું એક મકાન હતું. રૂ. 4 લાખનું એક ઘર હતું.

(દિલીપ પટેલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp