રથયાત્રાના રૂટમાં આવતી ગટરો પોલીસે શું કામ તપાસી?

PC: Khabarchhe.com

અમદાવાદમાં નિકળનારી ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાની સલામતી વ્યવસ્થામાં કોઈ કસર રહી જાય નહીં તેનું અમદાવાદ પોલીસ ધ્યાન રાખી રહી છે. સલામતી વ્યવસ્થા માટે અમદાવાદ પોલીસની મદદમાં રાજ્યભરની પોલીસ અને અર્ધ લશ્કરી દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

રથયાત્રાના 14 કિલોમીટર લાંબા રૂટમાં કોઈ ગરબડ થાય નહીં તે માટે અમદાવાદ પોલીસના બૉમ્બ વિરોધી દળ દ્વારા રસ્તામાં આવતી તમામ ગટરો ચેક કરવામાં આવી હતી. આ પ્રકારની કવાયત પહેલી વખત કરવામાં આવી હતી બૉમ્બ વિરોધી દળ દ્વારા 40 કરતા વધુ ગટરો તપાસી હતી. બદલાયેલા સમય પ્રમાણે અરાજકતા ફેલાવવા માંગતા તત્ત્વો ગટરનો ઉપયોગ કરે તેવી શક્યતા પણ પોલીસ નકારી શકતી નથી.

જો કે હમણાં સુધીની રથયાત્રામાં પહેલી વખત શું કામ પોલીસ દ્વારા રૂટની ગટરો તપાસવામાં આવી તે અંગે કોઈ અધિકારી કહેવા તૈયાર નથી સંભવ છે કે ઇન્ટેલિજન્સ દ્વારા કોઈ ઇનપુટના આધારે આ તપાસ શરૂ થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp