SPGમાં વિખવાદ થતાં અમદાવાદના તમામ હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા

PC: khabarchhe.com

સરદાર પટેલ સેવા દળ (SPG)ના અમુક તત્વો સતત અંદરો અંદર વિરોધ, માન સમ્માન ન જળવાય તે રીતે અભદ્ર ભાષામાં ટિપ્પણીઓ કરી રહ્યા છે. જેથી આવા તત્વો ને SPGમાંથી સસ્પેન્ડ કરવામાં ન આવે અથવા SPG અમદાવાદની માફી ન માંગે ત્યાં સુધી અમદાવાદના તમામ હોદેદારો અને કાર્યકર્તા અમદાવાદ SPGના પ્રમુખ જ્યેન્દ્ર ભાઈ પટેલ (જેડી) અને રાષ્ટ્રીય મંત્રી તથા અનામત આંદોલન કન્વીનર ડૉ. નચિકેતભાઈ પટેલ (મુખી) તમામ SPGના તમામ હોદેદારો પોતાના હોદા પરથી રાજીનામાં આપી દીધા છે.

અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સંદર્ભે તથા પાટીદાર સમાજ ના હિત માટે ના દરેક કાર્યક્રમમાં પૂર્વ કાર્યકર્તાઓ અને હોદેદારો ખડે પગે ઉભા રહી સાથ આપશે. તેમ ડો. નચીકેત મુખીએ જણાવ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp