અમદાવાદમાં સુહાગરાતની રાત્રે જ પતિએ આ કારણે પત્નીને માર્યો માર

PC: prabhatkhabar.com

અમદાવાદના ક્રિષ્નનગર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ પોતાના પતિ પર મારઝુડ કરવાનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરી છે. નવાઇની વાત છે કે આ યુગલના લગ્નને હજી માત્ર બે દિવસ જ થયા હતા અને સુહાગરાતની રાત્રે જ પતિએ પત્નીને માર માર્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ કરતા રોચક તથ્યો સામે આવ્યાં છે.

મળતી માહિતી અનુસાર, દિલ્હીથી લગ્ન કરીને અમદાવાદ પહોંચ્યા હતા. 29 એપ્રિલે તેમને લગ્ન કર્યા હતા. દિલ્હીથી તેઓ ટ્રેન દ્વારા અમદાવાદ આવ્યાં હતા. ગત બુધવારે બંનેની સુહાગરાત હતી, પરંતુ પત્નીએ પતિને શારિરીક સંબંધ બાંધવા ન દેતા પતિ ગુસ્સે ભરાયો હતો. સુહાગરાતની રાત્રીએ જ પતિને શંકા ગઇ હતી કે તેની પત્નીના કોઇ બીજા પુરૂષ સાથે સંબંઘો છે. આ વાતથી ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીને ઢોર માર માર્યો હતો.

પત્ની તરફથી દલીલ આપવામાં આવી હતી કે ટ્રેનની મુસાફરીના લીધે તેની તબિયત ખરાબ થઇ છે અને તે શારિરીક સંબંધ માટે તૈયાર થઇ ન હતી. આ વાતથી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને માર માર્યો હતો. પતિને શક હતો કે તેની પત્નીના કોઇ બીજા સાથે સબંધ હતો તેથી તે શારિરીક સંબંધ માટે ના પાડી રહી હતી. પોલીસે આ મામલે પત્નીની ફરિયાદ નોંધી છે અને પતિ સામે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp