પાલનપુર: દીકરીએ સગાઈ તોડી તો વિધવા માતાએ 15 વર્ષ નાના જમાઈ સાથે ઘર માંડ્યું

PC: Indian express.com

કળિયુગમાં રોજબરોજ ચોંકાવનારા કિસ્સા સામે આવતા રહે છે. એવો જ એક કિસ્સો પાલનપુરથી સામે આવ્યો છે. જેમા માતા એક જમાઈ સાથે ઘર માંડ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં વિધવા મહિલાની દીકરીએ સગપણ તોડી નાખતા તેની માતા જ જમાઈ સાથે ઘર માંડ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા 181 અભયમને પાલનપુરના એક ગામમાંથી મદદ માટે કોલ આવ્યો હતો.

આ સમસ્યા જાણીને અભયમની ટીમ પણ ચોંકી ગઈ હતી. અભયમને કોલ આવ્યો હતો કે, એક 46 વર્ષીય મહિલાએ તેના થનારા જમાઈ સાથે ઘર માંડ્યુ છે. યુવકની ઉંમર 30 વર્ષ છે. જ્યારે કે, મહિલા વિધવા છે અને તેના ચાર સંતાનો છે. છતા મહિલાએ આવું પગલુ ભરતા આસપાસના લોકો ચોંકી ગયા હતા. આ અંગે બનાસકાંઠા 181 અભયમ મહિલા હેલ્પલાઇનનાં કાઉન્સેલર લક્ષ્મીબેન સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લાના એક ગ્રામીણ વિસ્તારમાં રહેતી પરિણીતાએ કોલ કર્યો હતો કે, મારા પતિ ત્રાસ ગુજારે છે, જેથી મહિલા પોલીસ શિલ્પાબેન સાથે તેના ઘરે ગયા હતા.

ત્યાં પરિણીતાની આપવીતી સાંભળી તો અમે પણ ચોંકી ઊઠયા હતા. તેણે એવું કહ્યું હતું કે, ચારેક વર્ષ અગાઉ આ યુવક તેની દીકરીને જોવા માટે આવ્યો હતો અને બંનેની સગાઇ નક્કી કરાઇ હતી. સગાઈ અઢી માસ સુધી રાખ્યા બાદ દીકરીને યુવક પસંદ ન હોવાથી સગાઈ તોડી નાખી હતી. જ્યાં આ સામાજિક સંબંધ પર પૂર્ણવિરામ મૂકવાને બદલે દીકરીની માતાએ દીકરીએ સગાઈ તોડી હતી તે જમાઈ સાથે જ ઘર માંડયું હતું.

46 વર્ષની માતાએ 30 વર્ષના યુવક સાથે મંદિરમાં જઈ ફૂલહાર કર્યા હતા, જે છેલ્લાં ચાર વર્ષથી તેની સાથે જ રહેતી હતી. દરમિયાન 181 અભયમના કાઉન્સેલરે બે કલાક સુધી સમજાવતા પોતાના નાના 8 અને 10 વર્ષનાં સંતાનોનું ભવિષ્ય ન બગડે એ માટે પુનઃ તેમન જોડે મૂળ સાસરીમાં જવા માટે માની ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp