દુધાળામાં સ્વામીનારાયણ સાધુઓએ સવજી ધોળકિયાએ સાથે વોટર રાઇડ માણી, જુઓ 7 Photos

PC: facebook.com/dholakiasavji/

હરેકૃષ્ણ એક્સપોર્ટના માલિક સવજી ધોળકિયાએ અમરેલી જિલ્લાના દુધાળા ગામના નારણ તળાવમાં નિત્યસ્વરૂપદાસ સ્વામિને વિવિધ વોટર રાઇડ્સનો અનુભવ કરાવ્યો હતો.

Image may contain: 2 people, people smiling, sky, ocean, outdoor and nature

સવજી ધોળકિયાએ આના ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

Image may contain: 2 people, ocean, sky, outdoor, nature and water

ઉલ્લેખનીય છે કે દુધાળા ગામ સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા સવજી ધોળકિયાનું ગામ છે અને તેમને જ પોતાનું મહત્ત્વનું યોગદાન આપીને આ તળાવને ઊંડું કરાવ્યું હતું.

Image may contain: 8 people, people smiling, people standing and outdoor

તેમનું એક જ સ્વપ્ન હતું કે, તેમના ગામના લોકોને પાણીની તંગી પડે નહીં એટલા માટે તેઓ આ તળાવને ઊંડું કરવાની કામગીરી કરી રહ્યા હતા.

Image may contain: 4 people, people smiling, people sitting and outdoor

સવજી ધોળકિયા તેમને ગામના લોકોને પાણીની તકલીફ ન પડે તે ગામમાં તળાવો બનાવ્યા પરંતુ આસપાસના ગામના લોકોને પણ પાણીની તંગી ન પડે તે માટે આ નારણ તળાવનું કામ શરૂ કરાવ્યું હતું.

Image may contain: 18 people, people smiling, people standing and outdoor

સવજી ધોળકિયાએ તેમના ગામ સહિત આસપાસના 20 ગામના લોકો માટે કરેલી મહેનત રંગ લાવી હતી અને ચોમાસાની સીઝનમાં દુધાળા ગામનું નારણ સરોવર પાણીથી છલોછલ ભરાઈ ગયું છે.

આ તળાવ ભરાવાના કારણે 20 ગામના ખેડૂતોને ખેતી માટે અને ગામના લોકોને પાણી માટે તકલીફ ભોગવવી નહીં પડે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp