રેપના આરોપમાં સુરતમાંથી જૈન મુનિની ધરપકડ

PC: twitter.com/ANI

ગુજરાતના સુરત શહેરમાં જૈન મુનિ દિગંબર આચાર્ય શાંતિસાગરની કથિત દુષ્કર્મ કરવાના કેસમાં શનિવારે પોલીસે ધરપકડ કરી લીધી હતી. 19 વર્ષીય વિદ્યાર્થિનીના જણાવ્યાનુસાર ભગવાન મહાવીરના નાનપુરા સ્થિત દિગંબર જૈન મંદિરમાં તે આશીર્વાદ લેવા ગઈ હતી અને ત્યાં શાંતિસાગરે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ અંગે અઠવા પોલીસ ચોકીમાં મુનિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને શાંતિસાગરને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં યૌન શોષણ થયાની વાત કન્ફર્મ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.