કિરણ હોસ્પિટલમાં જટિલ બીમારીથી પીડાતા 750 બાળકોની વિનામૂલ્યે સર્જરી કરાશે

PC: Khabarchhe.com

કિરણ હોસ્પિટલ સુરત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દેશના જટિલ બીમારીથી પીડાતા બાળકોને બીમારીથી મુક્તિ અપાવવા માટે એક ભગીરથ પ્રયાસ થઇ રહ્યો છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, લિવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરીઓ તદુપરાંત જન્મજાત જટિલ બીમારીઓની પીડામાંથી બાળકોને મુક્તિ અપાવવા માટે કિરણ હોસ્પિટલ દ્વારા ખૂબ મહત્ત્વનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત 10 વર્ષની ઉંમર સુધીના જટિલ બીમારીથી પીડાતા 750 બાળકોને વિનામૂલ્યે સર્જરી અને સારવાર કરવામાં આવશે. આવા જટિલ ઓપરેશનો કરવા માટે કિરણ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના 43 વિભાગો અતિ આધુનિક સાધનોથી સુસજ્જ અને દરેક બીમારીના ઈલાજ કરવા માટે સક્ષમ છે.

કિરણ હોસ્પિટલ દ્વારા આ બાળકોની સર્જરીના ખર્ચને પહોચી વળવા મોટા ફંડની વ્યવસ્થા કરવી પડશે. કિરણ હોસ્પિટલ દ્વારા અનેક સેવાકીય કાર્યો સતત થતા હોય છે. દેશની એકમાત્ર હોસ્પિટલ હશે કે આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે જટિલ બીમારીઓથી પીડાતા 750 બાળકોને વિના સર્જરી અને સારવાર કરવાનો નિર્ણય લીધો છે. કિરણ હોસ્પિટલમાં જટિલ બીમારી માટે પોતાના બાળકની વિના મૂલ્યે સારવાર લેવા માંગતા લોકોએ 15 સપ્ટેમ્બર 2022 સુધીમાં તે બાળકની પૂરી વિગત સાથે કિરણ હોસ્પિટલ ખાતે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એક મહિના દરમિયાન થયેલ રજિસ્ટ્રેશનના આધારે ડોક્ટર દ્વારા બાળકોનું નિદાન થશે અને જે તે મહિનામાં નંબર મુજબ તેઓની સર્જરી કરવામાં આવશે. રજીસ્ટ્રેશન કિરણ હોસ્પિટલની વેબસાઇટ www.kiranhospital.com પર પણ કરાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp