BJP ગુજરાતના આ સાંસદને મળી હત્યાની ધમકી

PC: intoday.in

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભરૂચ ભાજપના સાંસદ મનસુખભાઇ વસાવાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે. આમ સાંસદ પણ ગુજરાતમાં સલામત ન હોવાનું આ બનાવ પરથી જણાય છે. જો સંસદ સભ્ય અસલામતી અનુભવતા હોય તો સામાન્ય માણસોની હાલત કેવી હશે? ડો. પ્રવીણ તોગડીયા અને હાર્દિક પટેલ જેવા જાહેર જીવનના નેતાઓ પણ વારંવાર કહી ચૂક્યા છે કે તેઓ સલામત નથી. 
 
ગત સત્રમાં સંસદમાં ગીરના રબારી,ચારણ અને ભરવાડને આદિજાતિના પ્રમાણપત્રો આપવા તેમજ નોકરી આપવાનો પ્રમાણપત્રો આપવા નો વિવાદ ઘેરો બન્યો. આ પ્રશ્નો ઉભા કરીને અપાયેલા પ્રમાણપત્રો રદ્દ કરવા માંગ કરી છે. સાંસદના નિવાસસ્થાના ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. 
 
રબારી અને ભરવાડ સમાજ તરફથી ધમકીઓ અપાઈ રહી છે, મહેસાણાના ધારાસભ્ય સાથે જેવું થયું એવું તમારી જોડે થશે. એમ ધમકી મળી રહી છે.  50થી 60 ફોન આવ્યા છે અને જણાવી રહ્યા છે કે મનસુખભાઈ તમારા મૃત્યુના દિવસો નજીક આવી ગયા છે. તેથી જિલ્લા પોલીસ વડાને લેખિત જાણ કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.