પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણની સુરક્ષા, જતન અને સંવર્ધન થશે: ગણપત વસાવા

PC: Khabarchhe.com

ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના ધ્યેય આગળ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણસમી યોજનાઓ અમલમાં મૂકી છે. જે અંતર્ગત ખેડૂતો રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આયોજીત કાર્યક્રમમાં માંગરોળ, માંડવી અને ઉમરપાડા તાલુકાના દેશી ગાય આધારિત નિભાવ માટે 1833 ખેડૂતોને તથા 1192 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કિટસ વિતરણના મંજુરીપત્રો એનાયત કરાયા હતા.

કાર્યક્રમમાં ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડૂતો ખેતી ખર્ચના ધટાડાની સાથે પર્યાવરણની સુરક્ષા, જતન અને સંવર્ધન થશે. જમીનનું સ્વાસ્થ્ય તથા ફળદ્રુપતામાં અનેકગણો વધારો થશે. ગંભીર પ્રકારના રોગોથી રક્ષણ મેળવવા માટે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને આવનારી પેઢી તંદુરસ્ત અને સ્વસ્થતા બક્ષે તેવો અનુરોધ મંત્રીએ કર્યો હતો.

ખેડૂતોના કલ્યાણને વરેલી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ગોડાઉન બનાવવા, વાહન ખરીદવા, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના સહિત સાત જેટલી યોજનાઓ આગામી સમયમાં ખેડૂતોની આવક બમણી કરવામાં મહત્વની બની રહેશે, તેવો વિશ્વાસ આદિજાતિ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

ખેડૂત રાસાયણિક ખાતરોનો ઉપયોગ ધટાડીને એક ગાય દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા મંત્રીએ ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

આદિજાતિ મંત્રીએ માંગરોળ તાલુકામાં આગામી સમયમાં સાત જેટલા 66 કે.વી.સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે, તેમ પણ જણાવ્યું હતું. કાર્યક્રમ દરિમયાન રાજ્યપાલ તથા મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની હિમાયત કરી હતી. આ અવસરે સિંચાઈ સમિતિના ચેરમેન શ્યામસિંગ વસાવા, કારોબારી અધ્યક્ષ દિપકભાઈ, માંગરોળ તથા ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ તથા દરિયાબેન, સંયુકત ખેતીવાડી નિયામક કમલેશ પટેલ, અગ્રણી રાકેશભાઈ, અફઝલભાઈ, ખેતીવાડી અધિકાર એન.જી.ગામીત, તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp