સુરતના વકીલોને મિડીએટર તરીકેના સર્ટીફિકેટ અપાયા

PC: Khabarchhe.com

સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના તમામ મિડીએટરો દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી કે.એન.પ્રજાપતિના વિદાય સમારોહનું આયોજન સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે કરાયું હતું. જેમાં સુરતના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ વિ.કે. વ્યાસ, બી.જી.સી.ના સભ્ય સિનિયર એડવોકેટ આર.એન.પટેલ અને સિનિયર વકીલ બકુલ જોબનપુત્રા હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રીતિ જિજ્ઞેશ જોષી, આર.એન.પટેલ, અનિશ ખ્યાલી, બકુલ જોબનપુત્રા, પદ્માક્ષી ઓઝા, ભરતસિંહ ચૌહાણ, મનોજ પટેલ, કાજી સાહેબ, નીતા ત્રિવેદી, નીતા પટેલ, નિલેશ ગોળવાળા, અનિલ ગઢવી, હેમા પટેલ, સુરેશ પંડિત, કિર્તન સાલ્વે સહિતના સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના તમામ મિડીએટરઓએ વિદાય લઇ રહેલા કે.એન.પ્રજાપતિને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

તમામ મિડીએટરોને મિડીએટર તરીકેના સર્ટીફિકેટ આપી સન્માનિત કરાયા હતા. એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. જ્યારે ભરતસિંહ ચૌહાણે આભાર વિધિ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp