શ્રીરામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ અભિયાન: ક્ષમતા પ્રમાણે દાન આપી શકો છો

PC: ndiatimes.com

આપણે સહુ જાણીયે છીએ કે 492 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં પ્રભુ રામચંદ્રજીના જન્મ સ્થાન પર મંદિર નિર્માણની પ્રક્રિયા આગળ વધી રહી છે, શ્રીરામ ધર્મનું મૂળ સ્વરૂપ છે. તેમને સ્વયં ધર્મને જીવી બતાવ્યો છે. આક્રમણકારીઓ દ્વારા રામ મંદિર ધ્વસ્ત કરી હિન્દુ સમાજનું અપમાન કરવાનો પ્રયાસ થયો. હજારો વર્ષ જૂની હિન્દુ સંસ્કૃતિ, જીવનશૈલી તેમજ પરંપરાને નષ્ટ નાબૂદ કરવાનું એક ષડયંત્ર હતું. તેથી વર્તમાનમાં અયોધ્યામાં શ્રીરામ મંદિર બની રહ્યું છે. જે માત્ર એક મંદિર નથી, પરંતુ ભારતના સ્વાભિમાનને જાગૃત કરનાર મંદિર છે. તેથી જ રામ મંદિર નિર્માણ દ્વારા રાષ્ટ્ર મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. દરેક હિન્દુ પોતાના ઘરેથી 10 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા, પોતાની ક્ષમતા અનુસાર મોટી રાશિનું સમર્પણ કરી શ્રીરામ મંદિર નિર્માણ દ્વારા બની રહેલ રાષ્ટ્ર મંદિર નિર્માણમાં હનુમાન, અંગદ, વાલી, વાનર કે પછી ખિસકોલી બની, પોતાનું સમર્પણ આપે તેવી અપેક્ષા છે. 15 જાન્યુઆરી મકરસંક્રાંતિથી લઇને 27 ફેબ્રુઆરી માઘ પૂર્ણિમા દરમિયાન આ અભિયાન ચાલવાનું છે. આ વાત અભિયાન સમિતિ ના દ.ગુ. ના ઉપપ્રમુખ નંદકિશોર શર્માએ જણાવી હતી.

સમિતિના સુરત શહેરના અધ્યક્ષ પ્રમોદજી ચૌધરીના જણાવ્યા અનુસાર સમગ્ર સુરત શહેર શ્રીરામ મંદિર નિર્માણ અભિયાનમાં જોડાવા ઉત્સાહ અને ઉમંગ દર્શાવી રહ્યું છે. સુરતમાં વિવિધ સમાજના અગ્રણીઓ પોતાના સમાજના મોભીઓ સાથે મિટિંગો કરી રહ્યા છે. મિટિંગમાં સમાજના મોભેદારોમાંથી કોઈ પાછળ રહેવા માંગતું નથી. શતાબ્દીઓના સંઘર્ષ બાદ બની રહેલ આ ભવ્ય મંદિર નિર્માણમાં દરેક હોદ્દેદારો પોતાના મોટા સમર્પણ દ્વારા અગ્રેસર રહેવા ઇચ્છુક છે.
સુરતમાં ડાયમંડ, ટેક્સટાઇલ અને બિલ્ડર જેવી વિવિધ ઉદ્યોગ જગતમાં નિધિ સંગ્રહના પ્રયાસો થઈ ગયા છે. સમગ્ર સુરત મંદિર નિર્માણમાં સહભાગી થવા હિલોળે ચડ્યું છે. સુરતના તમામ હોસ્પિટલ, ફેક્ટરીઓ અને મોટા ઉદ્યોગકારોના શ્રમિક સમૂહને પોતાનો એક દિવસનો પગાર શ્રીરામ મંદિરના નિર્માણમાં પોતાના સમર્પણના રૂપમાં આપવા માટે શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિ આહવાન કરે છે, સમિતિના અગ્રણીઓએ વિશ્વના સૌથી મોટા નિધિ સંગ્રહ અભિયાનમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે સુરતના રામપ્રિય હિન્દુ સમાજને રાશિ આપતી વખતે પાવતી / કુપનો માગવાનો આગ્રહ રાખવા જણાવે છે. સુરત સમિતિના પ્રમુખ નીતિનભાઈ પટેલ, ડાયમંડ એસોસિએસનના માજી પ્રમુખ બાબુભાઇ ગુજરાતી , આર.એસ.એસ. સુરતના મંત્રી કેતનભાઈ લાપસીવાલા, વી.હી.પરિષદ સુરત મહાનગર ઉપાધ્યક્ષ અને અભિયાન સમિતિના સદસ્ય વિક્રમસિંહજી શેખાવત ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp