VIDEO: ભરૂચમાં રાત્રે એક મકાન ધરાશાયી, 6 લોકો મકાનમાં દબાયા

PC: Khabarchhe.com

ભરૂચના ફાટા તળાવ નજીક ભક્તેશ્વર મહાદેવ રાણા ફળીયુ વિસ્તારમાં રાત્રે 3 વાગ્યાના સુમારે 2 માળનું મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતા મકાનના કાટમાળ નીચે 1 મહિલા અને તેના 2 પુત્ર સહિત બચાવ કામમાં લાગેલા 6 લોકો દબાયા હતા. આ મકાન કિશોરભાઈનું હોવાનું જાણવા મળ્યું છે. મકાન પડવાની ઘટનામાં કિશોરભાઈની દીકરી આરતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મકાન ધરાશાયી થતાની સાથે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં જોતરાયા હતા. સ્થાનિકો દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને સમજીને ફાયર વિભાગ અને 108ને જાણ કરી હતી. ફાયર ફાયટર અને 108 ઘટના સ્થળે પહોંચ્યું હતું. ફાયરના અધિકારીઓ અને તેમના કર્મચારીઓ દ્વારા દબાયેલા તમામ લોકોને મકાનના કાટમાળ નીચેથી બહાર કાઢીને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp