દહેજ પોર્ટ પર રો-પેક્ષ ફેરીના પેસેન્જરોએ કર્યો હોબાળો, જાણો કારણ

PC: khabarchhe.com

દહેજમાં રો-પેક્ષ ફેરીના પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. પેસેન્જરોને લીધા વગર શીપ રવાના થઈ જતા પેસેન્જરો રોષે ભરાયા હતા. આ મામલે મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો 5 કાર અને સહિત 30 પેસેન્જરો જ્યારે દહેજ પોર્ટ પર પહોંચ્યા હતા ત્યારે દહેજ પોર્ટના દરવાજા આ પેસેન્જરો માટે ખોલવામાં આવ્યા ન હતા. આ કારણે શીપ રવાના થઈ ગઈ હતી અને પેસેન્જરો દહેજ પોર્ટ પર અટવાઈ ગયા હતા. આ ઘટનાને લઈ રો-પેક્ષ સર્વિસના અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, પેસેન્જરો શીપ ઉપડવાના સમય કરતાં મોડા આવ્યા હતા જેના કારના પોર્ટના દરવાજા ખોલવામાં આવ્યા ન હતા.

પેસેન્જરોએ આ મામલે વાતચીત કરતાં જણાવ્યુ હતું કે, અમે લોકો પૈસા ભરીને જ્યારે નિયત સમયે દહેજ પોર્ટ પર પહોંચ્યા હતા ત્યારે પોર્ટના દરવાજા ખોલવામાં આવ્યા ન હતા. લોકોએ અધિકારીઓ પર આક્ષેપો કર્યા હતા. ઘટનાની જાણ અધિકારીઓને હોવા છતાં પણ તેમણે અમારા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp