રાજ્યમાં એક જ દિવસમાં બે અલગ-અલગ જગ્યાએ મહિલાએ કરી આત્મહત્યા

PC: newsx.com

રાજ્યમાં તાજેતરમાં આપઘાતની ઘટનાઓ વધી રહી છે. તેવામાં આજે લાભ પાંચમના દિવસે રાજ્યમાં બે આત્મહત્યાની ઘટના સામે આવી છે. તેમજ આ બંને આ આપઘાત કરનાર મહિલા છે. રાજ્યના મહેસાણા અને જૂનાગઢ શહેરમાં બંને અલગ અલગ મહિલાએ આત્મહત્યા કરી છે. જેમાં એક પરણિત મહિલા છે અને તો બીજી મહિલા વિધવા હોવાથી આત્મહત્યા કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

મહેસાણામાં આત્મહત્યા-

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહેસાણા તાલુકાના વડસમા ગામમાં એક પરણિત મહિલાએ પોતાની પર કેરોસીન છાંટીને આત્મહત્ય કરી લીધી. માહિતી પ્રમાણે આત્મહત્યા કરનાર મહિલાનું નામ હીનાકુવર બા છે જેની ઉંમર 37 વર્ષની છે. મહિલાએ પોતાના ઘરમાં જ શરીર પર કેરોસીન છાંટીને આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું. પતિ ત્રાસ આપતો હોવાથી કંટાળીને મહિલાએ અંતિમ પગલુ ભર્યું હોવાની બાબત સામે આવી છે. આ ઘટના પછી લાધણજ પોલીસ સ્ટેશનમાં મહિલાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

જૂનાગઢમાં યુવતીએ કરી આત્મહત્યા-

રાજ્યમાં આપઘાતનો બીજો બનાવ જૂનાગઢમાં થયો છે. જૂનાગઢમાં એક યુવતીએ ચોથા માળેથી કૂદકો મારીને જીવન ટૂંકાવી દીધું. માહિતી પ્રમાણે, આ ઘટના સરસ્વતી એપાર્ટમેન્ટમાં બની છે. યુવતીના લગ્ન થઈ ગયા હતા. તેમજ આજથી ત્રણ વર્ષ પહેલા ગંભીર બીમારીના કારણે તેણા પતિનું મોત થયું હતું. પતિનું અચાનક મોત થઈ જવાના કારણે તે પોતાના પિતાના ઘરે જતી રહી હતી. પતિના અવસાન બાદ યુવતી આઘાતમાં સરી પડી હતી. તેથી તેણે આત્મહત્યા કરી લીધી. જો કે, માનસિક રીતે બીમાર હોવાથી આપઘાત કર્યો હોવાનું કારણ સામે આવ્યું છે. તેમજ પતિના મોત બાદ એકલતા અનુભવતી વિધવા યુવતીએ આજે ચોથા માળેથી કૂદને આત્મહત્યા કરી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp