સુરતના નારીસંરક્ષણ ગૃહમાં બે દિવસ પહેલા આવેલી યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ

PC: dainikbhaskar.com

સુરતના નારીસંરક્ષણ ગૃહમાં એક યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. આ બાબતે નારીસંરક્ષણ ગૃહના સંચાલકોએ આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. યુવતીએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું અનુમાન પોલીસ દ્વારા લગાડવામાં આવી રહયું છે. સમગ્ર ઘટના અંગે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો સુરતના નારીસંરક્ષણ ગૃહમાં વહેલી સવારે એક 23 વર્ષની યુવતીની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આપઘાત કરનાર યુવતીનું નામ અંકિતા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાના અંગે નારીસંરક્ષણ ગૃહમાં રહેલી યુવતીઓમાં ભયનો માહોલ છવાયો હતો.

ઘટનાની જાણ નારીસંરક્ષણ ગૃહના સંચાલકોને થતા તેઓએ આ મામલે પોલીસને જાણ કરી હતી, જેના કારણે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને યુવતીની લાસને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. મળતી માહિતી અનુસાર આ યુવતી બે દિવસ પહેલ જ નારીસંરક્ષણ ગૃહમાં આવી હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, આ યુવતીના પિતાએ કતારગામ પોલીસ મથકમાં બે વર્ષ પહેલા અંકિતા તેના પ્રેમી ભાવેશ ગોહિલ નામના ઇસમ સાથે ભાગી ગઈ હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ પોલીસે આ બંને પ્રેમી પંખીડાઓને ઝડપી પાડ્યા હતા અને અંકિતાને બે દિવસ પહેલા નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી.

આ યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં આવ્યાના બે દિવસ જ થયા હતા ત્યારે આ યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસને આ સમગ્ર ઘટના પાછળ પ્રેમ પ્રેકરણ હોવાની શંકા છે પરતું આ સમગ્ર મામલે નારીસંરક્ષણ ગ્રુહના સંચાલકો મીડિયા સામે કઈ બોલવા માટે તૈયાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp