વન-ડે ટીમમાં આ ખેલાડીનું નામ જોઈને ભડક્યા ફેન્સ

PC: twitter.com

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચોની વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને T-20 બાદ વનડે સીરિઝમાંથી પણ બહાર થઈ ગયો છે. T-20 ટીમમાં ધવનની જગ્યાએ સંજૂ સેમસન અને વનડેમાં પૃથ્વી શૉને સામેલ કરવામાં આવ્યા છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વનડે ટીમની જાહેરાત થયા બાદ ફેન્સે ટ્વીટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કેદાર જાધવને વનડે ટીમમાં સામેલ કરવા બદલ ફેન્સે BCCI, સિલેક્ટર્સ અને વિરાટ કોહલી વિરુદ્ધ ગુસ્સો વ્યક્ત કર્યો છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેંગ્લોરમાં રમાયેલી ત્રણ વનડે મેચમાં ફિલ્ડિંગ દરમિયાન શિખર ધવન ઈજાગ્રસ્ત થયો હતો. આ ઈજાને કારણે તે ન્યુઝીલેન્ડ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.

તેની જગ્યાએ ટીમમાં પૃથ્વી શૉને સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ જ્યારે ટ્વીટર પર ટીમની જાહેરાત કરી, તો તેમાં કેદાર જાધવનું નામ જોઈને ફેન્સ ભડક્યા હતા.

સોશિયલ મીડિયા પર ફેન્સ BCCI, વિરાટ કોહલી અને સિલેક્ટર્સને સવાલ પૂછી રહ્યા છે કે, કેદાર જાધવને ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે જ ફેન્સે સૂર્યકુમાર યાદવને વનડે ટીમમાં જગ્યા ન આપવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. ટ્વીટર યુઝર્સનું કહેવું છે કે, કેદાર જાધવની જગ્યાએ ભારતની વનડે ટીમમાં સૂર્યકુમાર યાદવ, વિજય શંકર અથવા શુભમન ગિલમાંથી કોઈ એકને જગ્યા મળવી જોઈતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp