યુવરાજે સિંહે કહ્યું, KKRએ આ ખેલાડીને રીલિઝ કરીને ભૂલ કરી નાખી

PC: thestatesman.com

IPL 2020ના ઓક્શન પહેલા KKRએ પોતાના દિગગ્જ ખેલાડીમાંથી એક ક્રિસ લિનને રીલિઝ કરી દીધો છે. એવામાં ભારતના પૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહે KKRના આ પગલા અંગે નિવેદન આપ્યું છે.

યુવરાજનું માનવું છે કે, ક્રિસ લિન જેવા દિગ્ગજ ખેલાડીને રીલિઝ કરવું KKRની મોટી ભૂલ છે. T-10 લીગમાં અબુધાબી ટીમ વિરુદ્ધ તોફાની બેટિંગ કરીને માત્ર 30 બોલમાં અણનમ 91 રનની ઈનિંગ ક્રિસે રમી હતી.

એવામાં યુવરાજે લિનની બેટિંગને જોઈને કહ્યું કે, તેણે જોરદાર બેટિંગ કરી છે. તેને જોવું રોચક રહ્યું. તે એવો ખેલાડી છે જેને હું KKRમાં જોવો પસંદ કરતે. KKR માટે ક્રિસ લિને યાદગાર ઈનિંગ રમી છે. મને ખરેખર નથી ખબર કે આખરે ક્રિસ લિનને KKRએ રીલિઝ કેમ કર્યો. KKRએ ભૂલ કરી નાખી છે. KKRએ ક્રિસ લિન સિવાય રોબીન ઉથપ્પાને પણ રીલિઝ કરી દીધો છે. IPL 2020નું ઓક્શન 20 ડિસેમ્બરના રોજ કલકત્તામાં થવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp