વેસ્ટ ઇન્ડીઝ સીરિઝ માટે કેમ રોહિત શર્મા આરામ લેવાની પાડી રહ્યો છે ના?

PC: hindustantimes.com

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આવતા મહિને થનારી વનડે અને ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી ગુરુવારે થવાની છે. તેમાં રસપ્રદ વાત એ રહેશે કે રોહિત શર્માને આરામ આપવામાં આવશે કે નહિ. કારણ કે પસંદગીકારો રોહિત શર્માને આ સીરિઝ માટે આરામ આપવા માંગે છે પણ રોહિત આરામ લેવા માંગતો નથી.

રિપોર્ટ અનુસાર, રોહિત શર્મા તેના સારા ફોર્મને કારણે આરામ લેવા માંગતો નથી. તે ઈચ્છે છે કે જ્યાં સુધી તે સારુ રમી રહ્યો છે ત્યાં સુધી તે રમે. કદાચ રોહિત શર્માને લાગી રહ્યું છે કે જો તે આરામ લઈ લેશે તો તેનું ફોર્મ પણ અટકી જશે. કે તેના પર તેની માઠી અસર જોવા મળશે.

રોહિત શર્માનું હાલમાં સારુ ફોર્મ ચાલી રહ્યું છે. તેણે આ વર્ષે ત્રણેય ફોર્મેટમાં રનોનો વરસાદ કર્યો છે. આ વર્ષે રોહિતે 40 આંતરરાષ્ટ્રીય મેચોમાં 2069 રન બનાવ્યા છે. તે દરમ્યાન તેની સરેરાશ 53.05 રહી છે. હીટમેન રોહિતે આ વર્ષે સૌથી વધારે 9 સદી અને 8 હાફ સેન્ચ્યુરી લગાવી છે. આ વર્ષે રોહિતે તેની બેટિંગ દ્વારા 66 છગ્ગાઓ ફટકાર્યા છે.

વનડે ફોર્મેટમાં રોહિતે આ વર્સે 11 ઈનિંગમાં 67.60ની સરેરાશે 676 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 1 હાફ સેન્ચ્યુરી સામેલ છે. આ 5 સદી તેણે વર્લ્ડ કપમાં લગાવી છે. તો ટેસ્ટ ક્રિક્રેટમાં રોહિતે ઓપનર તરીકે 5 ઈનિંગમાં 107ની સરેરાશે 535 રન બનાવ્યા છે. જેમાં 3 સદી સામેલ છે.

આજકાલ એટલુ બધું ક્રિક્રેટ રમાઈ રહ્યું છે કે દરેક ખેલાડી આરામ કરવા માંગતો હોય છે. કેપ્ટન વિરાટ કોહલી પોતે મોટી સીરિઝ પથી આરામ લેતો હોય છે. પણ હવે જોવાનું એ રહેશે કે વેસ્ટ ઈન્ડિઝની સામે હિટમેન રોહિતને પસંદગીકારો આરામ આપે છે કે નહિ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp