સૂડાનની એક ફેક્ટરીમાં થયેલા ધમાકામાં 18 ભારતીયોના મોત
સૂડાનમાં એક બોમ્બ ધમાકામાં 18 ભારતીયોના મૃત્યુ પામ્યાની ખબર સામે આવી રહી છે. ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. વિદેશમંત્રીએ કહ્યું હતું કે, મને હમણા સલૂમી સ્થિત એક ફેક્ટરીમાં વિસ્ફોટ થવાની જાણકારી મળી છે. આ ઘટનામાં 18 લોકોનું મોત થયું છે.
EAM S Jaishankar: Have just received tragic news of a major blast in a ceramic factory “Saloomi” in Bahri area of the capital Khartoum in Sudan. Deeply grieved to learn that some Indian workers have lost their lives while some others have been seriously injured. (file pic) pic.twitter.com/aOvE9pPoUt
— ANI (@ANI) December 4, 2019
વિદેશમંત્રીએ કહ્યું હતું કે, કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ધમાકામાં કુલ 23 લોકોના મોત થયા છે અને 130 ગંભીરપણે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાનું કારણ એક LPG સિલિન્ડરમાં બ્લાસ્ટ હોવાનું કહેવાય છે. ભારતીય મિશને આ વાતની જાણકારી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp