ટામેટાના ભાવ 250થી 10 રૂપિયા પર આવી ગયા, હવે ખેડૂતો રસ્તા પર ફેંકી રહ્યા છે

જૂન મહિનામાં આસમાન પર પહોંચેલા ટામેટાના ભાવ હવે ઉંધા માથે પટકાઇને ફરી ઓરિજનલ ભાવ પર આવી ગયા છે. કેટલાંક શહેરોમાં ટામેટા હવે 10 થી 15 રૂપિયે કિલો વેચાવવાના શરૂ થઇ ગયા છે. પરંતુ નવાઇની વાત એ છે કે ટામેટાના ભાવો હવે તળિયે આવી ગયા તો ખેડુતો તેમનો પાક રસ્તા પર ફેંકી રહ્યા છે. તેમનું કહેવું છે કે અમને લાગત પણ છુટતી નથી. ટામેટાની આ તસ્વીર આંધ્રપ્રદેશના કુરનુલની છે, જ્યાં ખેડુતો ટામેટાના રસ્તા પર વેરી રહ્યા છે.

જૂન મહિનામાં ટામેટાના ભાવો રોકેટ ગતિએ ઉછળી ગયા હતા અને લગભગ 200થી 250 રૂપિયે કિલો સુધી પહોંચી ગયા હતા. ટામેટા એવું શાકભાજી છે જ દરેકના ઘરોમાં ઉપયોગમાં આવે છે. ટામનેટા આસમાની ભાવોને કારણે લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. કેન્દ્ર સરકારે સસ્તા ટામેટાં વેચ્યા હતા અને 70 રૂપિયે કિલો ટામેટા લેવા માટે પણ પડાપડી થતી હતી. પરંતુ ધીમે ધીમે ટામેટાના ઉંચોE ભાવનો ફુગ્ગો ફુટી ગયો અને ભાવ હવે તળિયે આવી ગયા છે.

જાણવા મળેલી માહિતી પ્રમાણે ટામેટાના અત્યારે દિલ્હીમાં ભાવ 20થી 30 ચાલે છે, ચંદીગઢમાં 30થી 40, રાયપુરમાં 10-15,જયપુરમાં 20-30, ભોપાલમાં 15-20, બેંગલુરુમાં 20-30 રૂપિયા કિલો દીઠ ભાવ ચાલે છે.

હવે ખેડુતોનું કહેવું છે કે જ્યારે રિટેલ માર્કેટમાં જ 15-20 રૂપિયાનો ભાવ આવી ગયો છે ત્યારે તેમને હોલસેલ માર્કેટમાં માત્ર 4થી 5 રૂપિયા જ મળી રહ્યા છે, જેમાં તેમની મજૂરી, ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ કાઢવો ભારે પડે છે એટલે તેઓ ટામેટાને રસ્તા પર ફેંકી રહ્યા છે.

ખેડુતોની માંગ છે કે સરકાર ટામેટાની નિકાસ વધારે. ભારત જો બાંગ્લાદેશ, નેપાળ, યુએઇ, કતર, સાઉદી અરબ અને ઓમાન જેવા દેશોમાં ટામેટાની નિકાસ શરૂ કરે તો ખેડુતોને સારા ભાવ મળવાની અપેક્ષા છે.

હવે એ જોઇએ કે ટામેટાના ભાવો નીચા કેમ આવ્યા. તો એક કારણ એવું છે કે અત્યારે દેશમાં પૂરની સ્થિતિ નથી, મતલબ કે શાકભાજીઓને નુકશાન થતું નથી. બીજું કારણ એ છે કે ટામેટાનો નવો પાક આવ્યો છે અને તે સારો ઉતર્યો છે મતલબ કે ટામેટાની આવક વધી છે. ત્રીજું કારણ એ છે સરકારે ટામેટાના ભાવો નીચા લાવવા માટે નેપાળથી ટામેટા આયાત કરવાનું શરૂ કરી દીધું હતું. આ બધા કારણોને લીધે ટામેટાના ભાવ નીચા આવી ગયા છે.

જો કે કેટલાંક લોકોનું કહેવું છે કે જ્યારે ટામેટાના ભાવો ઉંચાઇને આંબ્યા હતા ત્યારે ઘણા ખેડુતો લખોપતિ કે કરોડપતિ બની ગયા હતા તો હવે નીચા ભાવે વેચવામાં શું વાંધો છે. રસ્તા પર ફેંકી દેવાને બદલે લોકો પાસે જાય તો શું વાંધો છે?

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.