જૈન તીર્થ બચાવવા મૂનિના પ્રાણ ત્યાગ, 10 દિવસથી ઉપવાસ પર બેઠા હતા

છેલ્લાં લગભગ પંદરેક દિવસથી સમેત શિખર અને શત્રુંજય મહાતીર્થને બચાવવા માટે દેશભરના જૈન સમાજના લોકો જબરદસ્ત લડત આપી રહ્યા છે એ દરમિયાન પવિત્ર તીર્થને બચાવવા માટે છેલ્લાં 10 દિવસથી ઉપવાસ પર ઉતરેલા જૈન મૂનિનું મંગળવારે જયપુરમાં નિધન થતા જૈન સમાજમાં આક્રોશ ફેલાયો છે. જૈન સંતો અને અગ્રણીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. ઝારખંડમાં જૈન તીર્થસ્થળ સમેત શિખરને પર્યટન સ્થળ બનાવવાનો વિરોધ કરી રહેલા જૈન સાધુ સુજ્ઞેયસાગર મહારાજે મંગળવારે પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો હતો. તેઓ ઝારખંડ સરકારના નિર્ણય સામે છેલ્લા 10 દિવસથી ઉપવાસ કરી રહ્યા હતા. સુજ્ઞેયસાગર 72 વર્ષના હતા.

ઝારખંડ સરકારના નિર્ણય બાદ સુજ્ઞેયસાગર 25મી ડિસેમ્બરથી સાંગાનેરમાં ઉપવાસ કરી રહ્યા હતા. મંગળવારે સવારે સાંગાનેર સાંઈજી મંદિરેથી તેમની ડોલ યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન આચાર્ય સુનિલ સાગર સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જૈન સાધુને જયપુરમાં સાંગાનેર ખાતે સમાધિ આપવામાં આવી હતી.

ઓલ ઈન્ડિયા જૈન બેન્કર્સ ફોરમના પ્રમુખ ભાગચંદ્ર જૈને જણાવ્યું કે, મુનિશ્રીએ સમેત શિખરને બચાવવા માટે બલિદાન આપ્યું છે. તેઓ તેની સાથે જોડાયેલા હતા. જૈન સાધુ સુનિલ સાગરે કહ્યું કે સમેત શિખર અમારું ગૌરવ છે. આજે સાંજે 6 વાગ્યે મુનિ સુજ્ઞેય સાગર મહારાજનું નિધન થયું. જ્યારે તેમને ખબર પડી કે સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે તેઓ તેના વિરોધમાં સતત ઉપવાસ પર હતા. રાજસ્થાનની આ ધરતી પર તેમણે પોતાની જાતને ધર્મને સમર્પિત કરી દીધી છે. હવે મુનિ સમર્થ સાગરે પણ અન્નકૂટની આહુતિ આપીને તીર્થધામને બચાવવાની પહેલ કરી છે.

મુનિ સુજ્ઞેય સાગરનો જન્મ જોધપુરના ભિલાડામાં થયો હતો, પરંતુ તેમનું કાર્યસ્થળ મુંબઈમાં અંધેરી હતું. તેમણે ગિરનારમાં આચાર્ય સુનિલ સાગર મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી. બાંસવાડામાં મુનિ દીક્ષા અને સમેત શિખરમાં ક્ષુલક દીક્ષા લીધી. શરૂઆતથી ઋષિએ વ્રત રાખ્યું અને અંતે તીર્થને બચાવવા ઉપવાસ રાખ્યા. સંતનું ઘરેલું નામ નેમિરાજ હતું.

દરમિયાન જયપુરમાં જૈન સાધુ આચાર્ય શંશાકે જણાવ્યું હતું કે, જૈન સમુદાય હાલમાં સમેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા માટે અહિંસક રીતે આંદોલન કરી રહ્યો છે અને આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

About The Author

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.