શરદ પૂનમ ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત-યોગ અને સાવચેતીઓ

હિંદુ ધર્મમાં દર મહિને આવનારી પૂનમનું ખાસ મહત્વ હોય છે. આ બધી પૂનમોમાંથી શરદ પૂનમને ખાસ અને કલ્યાણકારી માનવામાં આવે છે. અશ્વિન માસમાં આવનારી પૂનમને શરદ પૂનમ કહેવામાં આવે છે. શરદ પૂનમના દિવસે ચંદ્ર ધરતીની સૌથી નજીક હોય છે. આ પર્વ રાતે ચંદ્રમાની રોશિનીની વચ્ચે ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે આખા વર્ષમાં માત્ર શરદ પૂનમના દિવસે જ ચંદ્ર પોતાની સોળ કળાઓથી પરિપૂર્ણ થાય છે. આ દિવસે ચંદ્રની પૂજા કરવી શુભ હોય છે. સાથે જ આ દિવસે ઉપવાસ કરવાને પણ ખાસ મહત્વ છે. આ વખતે શરદ પૂનમ 28 ઓક્ટોબર શનિવારના રોજ છે.

શરદ પૂનમની તિથિ આ વખતે 28 ઓક્ટોબર, શનિવારે સવારે 4 વાગ્યા 17 મિનિટ પર શરૂ થશે અને તિથિ સમાપન 29 ઓક્ટોબર રવિવારે બપોરે 1.53 વાગ્યે થશે. આ દિવસે ગજકેસરી યોગ, બુધાદિત્ય યોગ, શશ યોગ અને સિદ્ધિ યોગનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જેને લીધે શરદ પૂનમ ખાસ હોય છે.

આ દિવસે શરદ ઋતુનું આગમન થાય છે. આ દિવસે ચંદ્રમાની દૂધિયા રોશનીમાં દૂધ પૌંઆ બનાવી રાખવામાં આવે છે અને પછી આને પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે.

આ દિવસે સૂર્યોદય પહેલા ઊઠીને સ્નાન કર્યા પછી ઉપવાસ કરવાનો રહે છે. પૂજા કરવાની રહે છે. સંધ્યાકાળમાં દૂધની ખીરમાં ઘી ભેળવીને રાતના સમયે ભગવાનને ભોગ લગાવવાનો રહે છે. સાથે જ ચંદ્રના ઉદય થયા પછી તેમની પૂજા કરવી અને ખીરને નેવૈદ્ય અપર્ણ કરવામાં આવે. રાતે ખીરને ચંદ્રમાની ચાંદનીમાં રાખવામાં આવે છે અને બીજે દિવસે સવારે પ્રસાદના રૂપમાં લેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ-પાર્વતી અને ભગવાન કાર્તિકેયની પૂજા કરવી જોઇએ.

સાવચેતી

આ દિવસે પૂર્ણ રીતે પાણી અને ફળને ગ્રહણ કરીને ઉપવાસ રાખવાનો પ્રયાસ કરો. જો ઉપવાસ ન રાખો તો સાત્વિક આહાર ગ્રહણ કરો. આ દિવસે કાળા રંગનો પ્રયોગ ન કરો. સફેદ કપડા પહેરશો તો વધારે સારું રહેશે.

શરદ પૂનમના દિવસે વ્રત કરવું ફળદાયી સિદ્ધ થાય છે. એવી માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્રમાની દરેક સોળ કળાઓથી યુક્ત હતા. આ પૂનમના દિવસે ચંદ્રમાંથી નીકળતી રોશની ચમત્કારિક ગુણોથી પરિપૂર્ણ હોય છે. આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર, શરદ પૂનમનું વ્રત રાખ્યા પછી પૂર્ણ રાત્રી દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી ધનની સમસ્યાઓનો અંત થાય છે અને વૈભવની પ્રાપ્તિ થાય છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.