ચંદ્રાબાબુ નાયડુ એવું શું બોલ્યા કે આ બાજુ શેરબજારમાં તેજી છવાઈ ગઈ
![](https://khabarchhe.com/uploads/mc_path/171775450162.jpg)
TDPના વડા ચંદ્રબાબુ નાયડુ અને બિહારના CM નીતિશ કુમારે આજે NDA ગઠબંધન નેતાઓની બેઠકમાં PM નરેન્દ્ર મોદીને ખુલ્લું સમર્થન આપ્યું હતું. નાયડુ સહિત NDAએ PM નરેન્દ્ર મોદીને ત્રીજી વખત PM બનવા માટે સમર્થન આપતાં જ શેરબજારમાં તોફાની તેજી આવી ગઈ હતી. સેન્સેક્સ 1440 પોઈન્ટથી વધુ વધીને 76504 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 400 પોઈન્ટ વધીને 23,230ના સ્તરે પહોંચ્યો હતો.
બેન્ક નિફ્ટી 1 ટકા અથવા 500 પોઈન્ટથી વધુ વધીને 49800 પર ટ્રેડ કરી રહ્યો હતો. TDPના વડા અને CM નીતિશ કુમારના સમર્થન અને સાંસદ પક્ષના નેતા PM નરેન્દ્ર મોદીની ચૂંટણી પછી શેરબજારનું સેન્ટિમેન્ટ બદલાયું અને બજાર ઝડપથી ચાલવા લાગ્યું. શેરબજારમાં તોફાની ઉછાળાને કારણે કેટલાક શેર 15 ટકા સુધી વધ્યા હતા.
જ્યારે, BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી, તમામ શેર્સ જોરદાર ઉછાળા સાથે દેખાયા હતા. સૌથી વધુ ઉછાળો વિપ્રોમાં જોવા મળ્યો હતો, જે લગભગ 5 ટકા વધ્યો હતો. આ પછી ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ અને અન્ય શેર્સ આવ્યા હતા. સૌથી ઓછો વધારો મારુતિ સુઝુકીના શેરમાં થયો હતો.
આજે, NSE પર 2,605 શેરોમાંથી 2,089 શેર ઉછળીને ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 427 શેરમાં ઘટાડો હતો. જ્યારે 89 શેરોમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. 102 શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે માત્ર 18 શેર 52 સપ્તાહના નીચલા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.
IIFL ફાઇનાન્સ આજે 15 ટકાથી વધુ વધીને રૂ. 477 પર હતો. આ પછી, અમરા રાજા એનર્જીનો શેર 11.15 ટકા વધ્યો હતો. પ્રાઈસ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 8 ટકાથી વધુનો વધારો થયો છે. જ્યારે Paytmના શેરમાં 10 ટકા, વોડાફોન આઇડિયામાં 4.33 ટકાનો વધારો થયો હતો, IRCTC, HAL અને અદાણીના શેરમાં અદભૂત વધારો જોવા મળ્યો હતો.
PM નરેન્દ્ર મોદીને સમર્થનની જાહેરાત પછી નાયડુ સાથે જોડાયેલી બંને કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. હેરિટેજ ફૂડ્સનો શેર આજે 10 ટકાની અપર સર્કિટ સાથે રૂ. 661.25 પર પહોંચ્યો હતો. જ્યારે, અમરા રાજા એનર્જીનો શેર 11.15 ટકા વધીને 1424 રૂપિયા પર હતો.
NDAના નેતા તરીકે PM નરેન્દ્ર મોદીના નામના પ્રસ્તાવને મંજૂરી આપતી વખતે ચંદ્ર બાબુ નાયડુએ સંબોધિત કરતા તેમણે દાવો કર્યો હતો કે, છેલ્લા 10 વર્ષમાં ભારતમાં મોટો બદલાવ જોવા મળ્યો છે અને ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવી છે. ચંદ્રબાબુ નાયડુએ વધુમાં કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થાની આ ઝડપી ગતિ આ જ રીતે ચાલુ રહેશે અને PM મોદીના નેતૃત્વમાં ભારત આ વખતે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
નોંધ: કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા, કૃપા કરીને તમે તમારા બજાર નિષ્ણાતની સલાહ અવશ્ય લો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp