માધવી પુરી બૂચને તપાસમાં ક્લીન ચિટ! સેબી અધ્યક્ષ 4 મહિનાનો કાર્યકાળ પૂર્ણ કરશે

PC: hindi.economictimes.com

સેબીના ચેરપર્સન માધબી બુચને મોટી રાહત મળી છે. ગત સંસદ સત્ર દરમિયાન તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું. કોંગ્રેસે તેમના પર, તેમના પરિવાર અને BJP પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. એવો પણ આરોપ હતો કે, સેબીના ચેરપર્સન માધબી બુચ તેમના પદનો દુરુપયોગ કરી રહ્યા છે. જોકે, હવે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેમની સામે કોઈ પુરાવા મળ્યા નથી.

આરોપોની ચર્ચા વચ્ચે સરકારે તપાસ શરૂ કરી હતી. એજન્સીઓ અને નાણા મંત્રાલય બંને દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં માધબી બુચ અને તેના પરિવારને મોટી રાહત મળી છે. તપાસ એજન્સીના સૂત્રોએ મીડિયા સૂત્રોને જણાવ્યું છે કે, તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને કશું વાંધાજનક મળ્યું નથી. તેઓ હવે સેબીના ચેરપર્સન પદ પર ચાલુ રહેશે.

ગંભીર આરોપો શું હતા: સેબીના ચેરપર્સન માધબી પુરી બુચે REITને આગળ વધાર્યું અને તેનાથી બ્લેકસ્ટોનને ફાયદો થયો અને બદલામાં તેમના પતિને પણ ફાયદો થયો, કારણ કે તેઓ બ્લેકસ્ટોન સાથે સંકળાયેલા છે. કોંગ્રેસ દ્વારા માધબી બુચ સામે ઉઠાવવામાં આવેલ મુખ્ય મુદ્દાઓમાંનો એક એ હતો કે, તેના REIT માટે દબાણ બ્લેકસ્ટોનને ફાયદો કરાવવાના ઈરાદાથી કરવામાં આવ્યું હતું, કારણ કે તેમના પતિ બ્લેકસ્ટોન સાથે જોડાયેલા છે, વિપક્ષે પણ તેના પર આંગળી ચીંધી અને કહ્યું કે, તેઓ સેબી ચેરપર્સન તરીકે તેમની સ્થિતિનો દુરુપયોગ કરી રહ્યા છે. REITનો વિચાર સૌપ્રથમ 2007 (UPA યુગ)માં આવ્યો હતો, ઘણા વર્ષો પછી 2016માં SEBI દ્વારા સૂચનાઓ બહાર પાડ્યા, માધબી બુચ 1 માર્ચ, 2022ના રોજ અજય ત્યાગી પાસેથી પદ સંભાળ્યા પછી SEBIના અધ્યક્ષ બન્યા હતા. તેમને સેબીની કામગીરીમાં વ્યાપક ફેરફારો લાવવાનો શ્રેય આપવામાં આવે છે અને આ ફેરફારોની માત્ર બ્લેકસ્ટોન જ નહીં, પરંતુ ભારતમાં કાર્યરત ઘણી વૈશ્વિક કંપનીઓને અસર થઈ છે. સરકારી સૂત્રોએ મીડિયા સૂત્રોને જણાવ્યું છે કે, આ આરોપો પાયાવિહોણા છે, તેમના નામે માત્ર રાજનીતિ થઈ રહી છે.

સેબીના ચેરપર્સન સામે બીજો ગંભીર આરોપ એ હતો કે, તેમણે તેમના અગાઉના કાર્યકાળમાંથી મેળવેલા નાણાંનો ખુલાસો કર્યો ન હતો, ICICIમાં તેમના અગાઉના કાર્યકાળમાંથી મળેલા નાણાંનો ખુલાસો કરવામાં આવ્યો ન હતો. સરકારે આ આરોપોની તપાસ કરી છે અને કોઈપણ વ્યવહારો ગેરકાયદેસર હોવાનું જણાયું નથી, તેમણે તેમના તમામ લેણાં ચૂકવી દીધા છે.

ICICI બેંકે સ્પષ્ટતા કરી કે, ઓક્ટોબર 2013માં તેમની નિવૃત્તિ પછી, તેમને કોઈ પગાર અથવા ESOP આપવામાં આવ્યો ન હતો, તેમને માત્ર નિવૃત્તિનો નફો આપવામાં આવ્યો હતો, જેમ કે તે પદ પરના અન્ય તમામને આપવામાં આવે છે. બુચે ખાનગી ક્ષેત્રના ધિરાણકર્તા સાથે 12 વર્ષ સુધી કામ કર્યું અને ત્યાર પછી 2011માં જૂથ છોડતા પહેલા બે વર્ષ સુધી ICICI સિક્યોરિટીઝના CEO તરીકે સેવા આપી. ICICIમાંથી નિવૃત્ત થયા પછી માત્ર બુચને જ રકમ ચૂકવવામાં આવી ન હતી, પરંતુ તમામ ટોચની બેંકોના ટોચના મેનેજરોને નિવૃત્તિ લાભો આપવામાં આવે છે. આ માત્ર એક વ્યક્તિને કંઈક ખોટું આપવામાં આવ્યું હોવાનો કેસ નહોતો.

સેબીમાં કામ કરતા કર્મચારીઓએ નાણા મંત્રાલયને મોકલેલા પત્રોએ બુચ માટે વધુ એક મોરચો ખોલ્યો હતો. આનાથી માત્ર માર્કેટ રેગ્યુલેટરમાં જ નહીં પરંતુ રાજકીય વિભાગમાં પણ રોષ ફેલાયો હતો. કર્મચારીઓએ નાણા મંત્રાલયને ફરિયાદ કરી હતી કે, તેમના નેતૃત્વમાં વર્ક કલ્ચર નકામું છે. સરકારે તેની નોંધ લીધી અને કર્મચારીઓ સાથે વાત કરી. કર્મચારીઓનો આરોપ છે કે, તેઓ તેમના પર બૂમ બરાડા પાડીને વાત કરે છે.

સરકાર માને છે કે, સેબીના અધ્યક્ષ તરીકે માધબી પુરી બુચે સિસ્ટમને સાફ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે અને ઘણા લોકો સિસ્ટમની સફાઈથી ખુશ નથી. સરકાર એવા નિષ્કર્ષ પર પહોંચી છે કે માધબી પુરી બુચ તેમનો કાર્યકાળ પૂર્ણ કરશે, જે 28 ફેબ્રુઆરી, 2025ના રોજ સમાપ્ત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp