ફિઝિક્સવાલાઃ ટ્યૂશનથી 5 હજાર કમાતો, પછી 75 કરોડની ઓફર આવી, સ્થાપી પોતાની કંપની

સ્ટાર્ટઅપ અને યુનિકોર્નની બાબતમાં ભારત ઝડપથી આગળ વધ્યું છે. આ યાદીમાં નવું નામ જોડાયું છે ફિઝિક્સવાલાનું, જેને ભારતની 101મી યુનિકોન કંપની બનવાનો ખિતાબ મળ્યો છે. હાલના ફંડિંગ રાઉન્ડમાં આ કંપનીની વેલ્યુ 1.1 બિલિયન ડોલર આંકવામાં આવી છે અને આની સાથે જ ફિઝિક્સવાલાની એન્ટ્રી યુનિકોર્ન ક્લબમાં થઈ ગઈ છે. 

આ એજ્યુટેક કંપની શરૂ કરનાર અલખ પાંડેયની કહાની પણ ખૂબ જ રસપ્રદ છે. એક સમયે તેણે 75 કરોડ રૂપિયાના પગાર વાળી નોકરી ઓફર કરવામાં આવી હતી, જેને તેણે ઠુકરાવી દીધી હતી. હવે જ્યારે તેની કંપની યુનિકોન બની ગઈ છે, તો પાંડેયનો તે નિર્ણય સાચો સાબિત થઇ રહ્યો છે.

વચ્ચેથી જ છોડી દીધો એન્જિનિયરિંગનો અભ્યાસ

અલખ પાંડેયય એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો. આશરે 22 વર્ષની ઉંમરમાં તેણે કોલેજનો અભ્યાસ વચ્ચેથી છોડી દીધો અને ફરી પોતાના હોમટાઉન ઇલ્હાબાદ જતો રહ્યો. ઇલ્હાબાદ પરત ફર્યા પછી પાંડેયે ફિઝિક્સ ભણાવવાનું શરૂ કરી દીધું. મળી રહેલા સમાચારો મુજબ અલખ પાંડેય પોતાના શહેરમાં ફિઝિક્સ ભણાવીને આશરે 5000 રૂપિયા જ મહિનાની કમાણી કરી શકતો હતો. તે દરમિયાન જ તેને એક અન્ય એજ્યુટેક કંપની અનએકેડમીએ 75 કરોડ રૂપિયાની નોકરીની ઓફર કરી હતી. પાંડેયયે ગરીબ બાળકોને ભણાવવાના પોતાના લક્ષ્યને કારણે તે ઓફરને ઠુકરાવી દીધી હતી.

આ રીતે થઈ ફિઝિક્સવાલાની શરૂઆત

પાંડેયનું લક્ષ્ય હતું એક એવી કંપની શરૂ કરવાનું કે જ્યાં એક રિક્ષાચાલક પણ પોતાના બાળકને અભ્યાસ કરાવીને ડૉક્ટર બનાવવાનું સપનું પૂરું કરી શકે. પાંડેયે આ સપનાને ધ્યાનમાં રાખીને ફિઝિક્સવાલાની શરૂઆત કરી. પાંડેય એક જુના વીડિયોમાં જણાવે છે કે, તે પોતાની કંપનીમાં કોઈ પણ ઇન્વેસ્ટર્સને પૈસા ઇન્વેસ્ટ કરવાથી રોકે છે, કારણ કે તેનાથી ફિઝિક્સવાલા ઉપર ફી વધારવાનું પ્રેશર આવી જશે. જોકે હવે તેણે પોતાના પ્લાનમાં બદલાવ કર્યો છે અને ઈન્વેસ્ટર પાસેથી પૈસા લઈ રહ્યો છે.

ફિઝિક્સ વાલાને મળ્યું આટલું વેલ્યુએશન

હાલમાં જ એક ફંડિંગ રાઉન્ડમાં ફિઝિક્સવાલાને 100 મિલિયન ડોલર (આશરે રૂ. 777 કરોડ) મળ્યા છે. આ ફંડિંગ રાઉન્ડમાં વેસ્ટબ્રિજ અને GSV વેન્ચર્સે ઇન્વેસ્ટ કર્યું છે. કંપનીને આ ફંડિંગ 1.1 બિલિયન ડોલરની યુનિકોર્ન વેલ્યુએશનના આધાર પર મળ્યું છે. આની સાથે જ ફિઝિક્સવાલા સિરીઝ A ફંડિંગમાં યુનિકોર્ન બનનારી પહેલી એજ્યુટેક સ્ટાર્ટઅપ કંપની પણ બની ગઈ. આજે ફિઝિક્સવાલા નહિ ફક્ત અનએકેડમી જેવી એજ્યુટેક કંપનીઓને કોમ્પિટિશન આપી રહી છે, પરંતુ ઘણી બાબતોમાં તેઓને પાછળ પણ છોડી ચૂકી છે.

આ બાબતોને કારણે પછડાઈ ગઈ અનએકેડમી

વિંગડાર્ટના સ્થાપક અનુરાગ શ્રીવાસ્તવે એક લિંક્ડિન પોસ્ટમાં જણાવે છે કે, ફિઝિક્સવાલાની વ્યાજ તથા ટેક્સ વગેરે ભર્યા પહેલાની કમાણીનો દર 60 ટકા છે, જ્યારે અનએકેડમીની બાબતમાં આ નિગેટિવમાં 320 ટકા છે. ફાયનાન્સિયલ યર 2020-21મા (FY21) અનએકેડમીનું રાજસ્વ 398 કરોડ રૂપિયા હતું. ફિઝિક્સવાલાનું રાજસ્વ ફાઈનાન્સિયલ યર 2021-22મા (FY22) 350 કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે. અનએકેડેમીએ જાહેરાતો પર 411 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જ્યારે બીજી બાજુ ફિઝિક્સવાલાએ જાહેરાતો પર કોઈ ખર્ચ કર્યો નથી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.