આધુનિક ખેતપદ્ધતિ અપનાવીને ખેડૂતો બમણી આવક મેળવી શકે છેઃ રાજ્યના ખેતી નિયામક

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, યુનો દ્વારા વર્ષ-2023ને 'ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા સુરત શહેરના દયાળજી અનાવિલ કેળવણી મંડળ, મજુરાગેટ ખાતે ‘રાષ્ટ્રીય ખાદ્યસુરક્ષા મિશન- ન્યુટ્રીસિરીલ યોજના’ અંતર્ગત મિલેટ્સ પાકોનો રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો. સાથોસાથ તા.12 થી 16 માર્ચ સુધી 100% ડાંગ ઓર્ગેનિક યોજના હેઠળ આયોજિત મિલેટ્સ પાકોની પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ અને પ્રદર્શનને ખેતી નિયામક એસ.જે.સોલંકીએ ખૂલ્લું મૂક્યું હતું.

રાજ્યના ખેતી નિયામક એસ.જે.સોલંકીએ જણાવ્યું કે, મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, જવ, રાગી, કોદરા, નાગલી, રાજગરો વગેરે જાડા ધાન અનેક પોષકતત્વોથી ભરપૂર અને શક્તિદાયક છે, પાચનમાં પણ મદદરૂપ છે. મિલેટ્સના નિયમિત ભોજનથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રોક, આંતરડાના કેન્સર અને અન્ય ગંભીર બિમારીનું જોખમ ઘટી જાય છે.

તેમણે કહ્યું કે, આપણા પરંપરાગત ધાન એવા બાજરી, જુવાર, રાગી, મકાઈને વિશ્વના દેશો પણ અપનાવે તેવી વડાપ્રધાનની સંકલ્પના યુનાઈટેડ નેશન્સના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણીથી સાકાર થશે એમ જણાવતા સોલંકીએ ઉમેર્યું કે, ખેતી ખર્ચ ઘટાડી, પ્રગતિશીલ અને આધુનિક ખેતપદ્ધતિ અપનાવીને ખેડૂતો બમણી આવક મેળવી શકે છે. ઓછા ખર્ચે, ઓછા પાણીએ અને પ્રતિકૂળ આબોહવામાં પાકતા હોવાથી મિલેટ્સ પાકો ખેડૂતોને નાણાકીય ખર્ચમાંથી બચાવે છે, અને બમણી આવકનો સ્ત્રોત બને છે.

સોલંકીએ વધુમાં જણાવ્યું કે, ‘જેવો અન્ન તેવો ઓડકાર’ એ ન્યાયે યોગ્ય પોષક આહાર લેવાથી સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. કોરોનાએ માનવીને આરોગ્યનું મહત્વ સુપેરે સમજાવ્યું છે, જેથી હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્ત બન્યા છે અને આહારશૈલીમાં પરિવર્તન લાવી રહ્યા છે. આ સંદર્ભે તેમણે કહ્યું કે, પરંપરાગત ધાન્યને હલકા ધાન્ય પાકો એટલે કહ્યાં કે તે પચવામાં હલકા છે, પરંતુ આપણે તેને ગુણવત્તામાં હલકા સમજી ખોરાકમાંથી જ દૂર કર્યા. આ બધા ધાન્યમાં એક ગુણધર્મ સામાન્ય છે કે તે ગ્લુટેન ફ્રી છે. આપણે આજે પચવામાં ભારે ઘઉં જેવાં ગ્લુટેનયુક્ત ધાન્ય પાકો ખાઈને હ્રદયરોગ તેમજ ડાયાબિટીસ જેવાં રોગોને સામે ચાલીને આમંત્રણ આપ્યું છે.

અધિક ખેતી નિયામક કમલા છૈયાએ જણાવ્યું કે સદીઓથી મિલેટ પાકો આપણા આહારનો અભિન્ન ભાગ રહ્યા છે. અગણિત સ્વાસ્થ્યવર્ધક લાભો ઉપરાંત મિલેટ ઓછાં પાણી અને ઓછા ઈનપુટની જરૂરિયાત સાથે જમીન સુધારણા અને પર્યાવરણ માટે પણ લાભકારક છે. મિલેટ વર્ષની ઉજવણીથી લોકોમાં મિલેટ્સ પ્રત્યે જાગૃતિ આવી રહી છે અને દૈનિક આહારમાં સ્થાન આપી રહ્યા છે.

જુવાર સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડો.બી.કે.દાવડાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ જયારે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી કરી રહ્યું છે,ત્યારે બાજરી, જુવાર, રાંગી, બન્ટી-બાવટો, કોદરા, સામો, મોરૈયો, કાંગ, ચેણો જેવા આઠ પાકોનો મિલેટ્સમાં સમાવેશ થાય છે. આ મિલેટ્સ ધાન્ય પાકો પોષકતત્વોથી ભરપુર અને તંદુરસ્તીનો ખજાનો છે. આ ગરીબોનો ખોરાક નહી પણ આજે સુખી સંપન્ન લોકો પણ તેને અપનાવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.