ભારતની સૌથી અનોખી અને મોંઘી કેરી, દેશમાં માત્ર 3 વૃક્ષો, વેચાણ નંગના ભાવે

PC: jiomart.com

ઉનાળો આવતાની સાથે જ કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે, તેથી બજારો અને જથ્થાબંધ માર્કેટમાં કેરીની અનેક જાતો આવવા લાગી છે. કોઈ કેરી 100 રૂપિયા પ્રતિ કિલો અને કોઈ કેરી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય રહી છે. દેશ અને દુનિયામાં કેરીની અનેક જાતો છે. મુખ્યત્વે અલફાંજો અને હાપુસ એ ભારતમાં સૌથી પ્રખ્યાત અને મોંઘી કેરી છે. આ ઉપરાંત બદામ, દશેરી, તોતાપુરી અને લંગડો સહિતની કેરીની ઘણી જાતો છે. પરંતુ, શું તમે ભારતમાં સૌથી મોંઘી કેરી વિશે જાણો છો? સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે, કેરીની આ જાતના માત્ર 3 જ વૃક્ષો દેશમાં છે. જો તમે તેની કિંમત વિશે સાંભળશો તો તમે ચોંકી જશો.

બજારમાં જ્યાં કિલોના ભાવે કેરી વેચાય છે. જ્યારે, આ ખાસ કેરી નંગના આધારે વેચાય છે. આ એક કેરીની કિંમત પ્રતિ કિલો વેચાતી કેરી કરતાં અનેક ગણી વધારે છે. આવો અમે તમને ભારતની આ મોંઘી અને રસદાર કેરી વિશે જણાવીએ...

ભારતની આ સૌથી મોંઘી કેરી દેશના મધ્યમાં એટલે કે મધ્યપ્રદેશમાં ઉગાડવામાં આવે છે. આ કેરી એક કિલોના ભાવે વેચાતી નથી. આ જાતની એક નંગ કેરીની કિંમત 1,200 રૂપિયા છે. આ ખાસ કેરી MPના અલીરાજપુરમાં ઉગાડવામાં આવે છે. નવાઈની વાત એ છે કે, અહીં આ કેરીના માત્ર 3 જ વૃક્ષો છે.

ગયા વર્ષે ભોપાલમાં આયોજિત મેંગો ફેસ્ટિવલમાં કેરીની ઘણી જાતો રાખવામાં આવી હતી. જેમાં સુંદરજા, ચૌસા, લંગડો, દશેરી, મલ્લિકા અને આમ્રપાલી કેરીનો સમાવેશ થાય છે. આ જ પ્રદર્શનમાં અલીરાજપુરમાં ઉગાડવામાં આવેલી નૂરજહાં કેરીને પણ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. અલીરાજપુરના કઠ્ઠિવાડાથી આવેલા રૂમાલ બઘેલે મીડિયા સૂત્રને આ કેરી વિશે જણાવ્યું. જેમાં તેણે જણાવ્યું કે, આ કેરીનું વજન 2 કિલો છે. આ કેરીનું નામ નૂરજહાં છે. આ કેરી માત્ર મધ્યપ્રદેશની જ નહીં, પરંતુ દેશની એક અનોખી કેરી છે.

નૂરજહાં કેરી MP સિવાય સમગ્ર દેશમાં ક્યાંય જોવા મળતી નથી. આ કેરીના ઉત્પાદક રૂમાલ બઘેલે જણાવ્યું હતું કે, અહીં વર્ષમાં માત્ર 100 કેરીનું ઉત્પાદન થાય છે. મુંબઈ અને દિલ્હી સહિત અનેક મોટા શહેરોમાંથી આ કેરી ખરીદવાની માંગ છે. રૂમાલ બઘેલના જણાવ્યા અનુસાર, નૂરજહાં કેરી અફઘાનિસ્તાનમાં ઉગાડવામાં આવતી હતી.

વર્ષ 1577થી 1645 દરમિયાન જ્યારે તેને ભારતમાં લાવવામાં આવી, ત્યારે આ કેરીનું નામ મલ્લિકા નૂરજહાંના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ કેરીના કેટલાક રોપા મધ્યપ્રદેશના અલીરાજપુર લાવવામાં આવ્યા હતા. ત્યારથી અહીં નૂરજહાં કેરીનું ઉત્પાદન શરૂ કર્યું. સમગ્ર દેશમાં નૂરજહાં જાતની કેરીના માત્ર 3 જ વૃક્ષો બચ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp