ગુજરાતના વેપારીઓએ પાછું મોકલ્યું ચાઇનીઝ લસણ, જાણો કારણ

હાલમાં રાજ્યમાં ટામેટાં બાદ લસણની કિંમત ઘણી વધી ગઇ છે. તો જામનગરના હાપા માર્કેટના એક વિવાદે ભારે ચર્ચા જગાવી છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચાઈનીઝ લસણ વેચાવા આવ્યું હતું. જેનો ચાઈનીઝ લસણનો વેપારીઓએ વિરોધ કર્યો છે. વેપારીઓને જાણ થતા પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પાછું મોકલવામાં આવ્યું છે. અંદાજિત સવા લાખના લસણની ખરીદી ન કરીને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. એ સિવાય દેશના ખેડૂતોને નુકસાની ઉઠાવવાનો વારો ન આવે તે માટે સરકારને પણ તકેદારી રાખવાની અપીલ કરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, જામનગર હાપા માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણની 50 ગુણોમાં આવેલો માલ પાછો મોકલવામાં આવ્યો છે. ચાઇનીઝ લસણ પ્રતિબંધિત હોવા છતા વેચાણ માટે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હતું. ત્યારબાદ વેપારીઓને ધ્યાને આવતા હરાજીનો વિરોધ નોંધાવી લસણ પાછું મોકલવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાઇના દ્વારા આ લસણને દુબઈ માર્ફતે ફ્રી ડ્યુટીથી ભારતમાં ઘૂસાડવામાં આવી રહ્યું છે અને મુંબઈથી ભારતના જુદા-જુદા વિસ્તારોમાં અને યાર્ડમાં આ ચાઇનીઝ લસણનું વેચાણ કરવા મોકલવામાં આવી રહ્યું છે.

ગુજરાતના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડ દ્વારા પ્રતિબંધિત આ ચાઇનીઝ લસણને પાછું મોકલવામાં આવી રહ્યું છે અને જેને લઇને આજે પહેલી વાર જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ આવતા વેપારીઓએ પણ વિરોધ નોંધાવી લસણની ખરીદી કરી નહોતી અને ચાઇનીઝ લસણનો બહિષ્કાર કર્યો હતો. હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું કે, હાપા યાર્ડમાં લોધિકા ગામના ખેડૂત ગાંડુભાઈ સામજી પરમાર 50 ગુણ લસણ લઈને આવ્યા હતા. હરાજી વખત વેપારીઓનું ધ્યાન લસણ પર જતા તેનો આકાર અને કદ અલગ લાગ્યું હતું. ત્યારબાદ ચાઇનીઝ લસણ હોવાનું ધ્યાનમાં આવતા અન્ય ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ ખેડૂત લસણને પરત લઈ ગયો હતો.

હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જણસોના સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો માલ વેચવા માટે આવતા હોય છે. જેને લઇને બે દિવસ અગાઉ 247 ખેડૂતો કપાસ, મગફળી, એરંડા, તલ, જીરું, અજમો સહિતની જણસોના વેચવા માટે આવ્યા હતા. માર્કેટિગ યાર્ડમાં 8,867 જુદી જુદી જણસ આવી હતી. જેમાં સૌથી વધુ લસણ ઉપરાંત ઘઉની આવક થઇ હતી. 2,673 મણ લસણ યાર્ડમાં આવ્યું હતું.

એ સિવાય લસણની 2,160 રૂપિયા સુધીની કિંમત પણ બોલાઇ હતી. એ ઉપરાંત 122 મણ મગફળીની આવક પણ થઈ હતી. મગફળીના 1100-1,400 રૂપિયા સુધીની કિંમત બોલાઇ હતી. બીજી તરફ ચાલુ વર્ષે જીરાના જામનગર માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ તોડ ભાવ બોલાયા હતા, જેના કારણે મોટાભાગના ખેડૂતોએ જીરાનું વેચાણ કરી નાખ્યું છે. હાલમાં માર્કેટિંગ યાર્ડમાં જીરાના 9000-11,625 રૂપિયા સુધીની જેટલા દીઠ કિંમત બોલાઇ હતી અને આજે જીરાની  માર્કેટિંગ યાર્ડમાં 77 ગુણો આવક થઈ હતી. અહીં 29 ખેડૂતો જીરું વેચવા આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.