સ્થાનિક સ્તરે ઉત્પાદન કરો અને સ્થાનિક ઉત્પાદનો ખરીદોઃ PM મોદી

PC: pib.gov.in

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતને વિકાસનું એન્જિન બનાવવા માટે સરકાર સંવેદનશીલતા અને લાંબાગાળાની દૂરંદેશીને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, નિર્ણયો માત્ર દિલ્હીમાં આરામદાયક ઓફિસોમાં બેસીને ચાર દિવાલોની વચ્ચે નથી લેવામાં આવતા પરંતુ પાયાના સ્તરે લોકોના પ્રતિભાવો જાણ્યા પછી નિર્ણયો લેવામાં આવે છે. આનાથી દરેક ભારતીયને બેંક ખાતાંનો ઍક્સેસ, 8 કરોડથી વધુ પરિવારોને ધુમાડા વગરના રસોડાં ઉપલબ્ધતા, ઘરવિહોણા હોય તેવા 1.5 કરોડથી વધુ પરિવારોને પોતાનું ઘર આપવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે અને આયુષમાન ભારત યોજના અંતર્ગત ભારત દુનિયાની સૌથી મોટી આરોગ્ય સંભાળ યોજનાનું ઘર બની શક્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબો માટે, એક રાષ્ટ્ર એક રેશન કાર્ડની યોજના લાવવામાં આવી છે જેનાથી તેઓ દેશમાં ગમે ત્યાંથી રેશન મેળવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ થઇ છે. મધ્યમવર્ગના લોકો માટે, સંખ્યાબંધ પહેલ શરૂ કરવામાં આવી છે, જેથી તેમનું વધુ સરળ બની શકે. ખેડૂતો માટે MSPમાં વધારો કરવામાં આવ્યો છે અને તેમને યોગ્ય ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. મહિલાઓ માટે, સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, અલગ અલગ યોજનાઓ મારફતે તેમના આરોગ્ય પર ખાસ ધ્યાન આપવામાં આવે અને લગ્નના બંધનના કારણે તેમની કારકિર્દીનો માર્ગ અવરોધાય નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર ધર્મ, જાતિ, જ્ઞાતિ, વંશ અથવા ભાષા વચ્ચે કોઇ જ ભેદભાવ રાખતી નથી અને 130 કરોડ ભારતીયોને સશક્ત કરવાની એકમાત્ર ઇચ્છા સાથે કામ કરે છે અને ભારતનું બંધારણ અમારું માર્ગદર્શન કરે છે.

કેવી રીતે આપણી ક્રિયાઓ રાષ્ટ્રાના વિકાસમાં યોગદાન આપી શકે છે તેના પર વિચાર કરવા તેમણે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે ભારત કહી રહ્યું છે કે - આપણે સ્થાનિક સ્તરે ઉત્પાદનો તૈયાર કરીશું અને સ્થાનિક ઉત્પાદનો ખરીદીશું. આનાથી ભારતમાં સંખ્યાબંધ પરિવારોમાં સમૃદ્ધિનો દીપક પ્રગટશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ભારત સરકારે ટુંકા ગાળા અને લાંબા ગાળા એમ બંને પ્રકારે અર્થતંત્ર સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, લોકલક્ષી અને વિકાસલક્ષી નિર્ણયો દરિયાથી માંડીને અવકાશ સુધી, ખેતરથી માંડીને ફેક્ટરીઓ સુધી તમામ ક્ષેત્રોમાં લેવામાં આવ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેના આહ્વાનથી ચોક્કસપણે વધુ મજબૂત થશે અને દરેક ભારતીયની સમૃદ્ધિ સુનિશ્ચિત થશે.

તાજતેરમાં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજના રૂપિયા વીસ હજાર કરોડથી વધુ રકમના રોકાણ સાથે શરૂ કરવામાં આવી છે જે મત્સ્ત્ય પાલન ક્ષેત્રે પરિવર્તન લાવશે, નિકાસની કમાણીમાં વૃદ્ધિ કરશે અને અંદાજે પચાસ લાખથી વધુ લોકો માટે રોજગારીનું સર્જન કરશે. તેમણે જણાવ્યું હતું કે, બહેતર ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી મૂલ્ય સાંકળો વધુ મજબૂત થઇ શકશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કેરળમાં માછીમારોને વિવિધ યોજનાઓથી ઘણો સારો લાભ પ્રાપ્ત થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અવકાશ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલા ઐતિહાસિક સુધારાથી અવકાશીય સંપત્તિઓ અને પ્રવૃત્તિઓનો ખૂબ જ વ્યાપકપણે ઉપયોગ સુનિશ્ચિત થશે. ડેટા અને ટેકનોલોજીના ઍક્સેસમાં સુધારો આવશે. તેમણે ઉમેર્યું હતું કે, કેરળમાં અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં કેટલાક યુવાનો કે જેમને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ખૂબ જ રસ છે તેમને આ સુધારાઓથી ઘણો લાભ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp