હિંડનબર્ગને કારણે રોકાણકારોને નુકશાન થયું છે, તેની સામે તપાસ કરો: હરિશ સાલ્વે

દુનિયાભરમા જાણીતો એડવોકેટ હરિશ સાલ્વેએ અદાણી ગ્રુપને નિશાન બનાવીને શેરબજારમાં અસ્થિરતા ઉભી કરનાર અમેરિકાની શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટની ઉંડાણ પૂર્વક તપાસ કરવાની માંગ કરી છે. સાલ્વેએ કહ્યું છે કે આખા પ્રકરણમાં રાજકારણમાં સાઇડ પર રાખીને હિંડનબર્ગની તપાસ થવી જોઇએ. તેમણે કહ્યું છે કે, હિંડનબર્ગ એ કોઇ ચેરિટી કે મદદ કરનારી સંસ્થા નથી, પરંતુ તેનો હેતુ મધ્યમ વર્ગના રોકાણકારોના દુર્ભાગ્યથી પૈસા કમાવવાનો છે.

એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં હરીશ સાલ્વેએ કહ્યુ કે, તે એક સંપૂર્ણપણે અલગ પરિમાણ ધરાવે છે. હિંડનબર્ગ કોઈ ચેરિટી કે મદદ કરનાર સંસ્થા નથી. હિંડનબર્ગે જાણી જોઇને અહેવાલો પ્રગટ કર્યા છે. આવું કંપની એટલા માટે કરે છે કે શોર્ટ સેલિંગનો લાભ લઇ શકે. અદાણી ગ્રૂપ-હિંડનબર્ગ મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી છ સભ્યોની સમિતિનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આ મારું સૂચન છે અને તે મેં તે જાહેરમાં કહ્યું છે અને હું તેનું પુનરાવર્તન કરી રહ્યો છું. આ સમિતિએ એ બધી બાબતોની પણ તપાસ કરવી જોઇએ, જેમાં શેરોના ભાવોને તોડીને મધ્યમ વર્ઘના રોકાણકારોનો ભોગે મોટા પાયે કમાણી કરી છે. એને બજારમાં હેરાફેરી તરીકે માનવમાં આવે અને આવા લોકોને બજારમાંથી આઉટ કરીને તેમને પ્રતિબંધિત કરવા માટેની તપાસ કરે.

હરિશ સાલ્વેએ કહ્યું કે, આપણે શેરબજારમાં એક એવો દાખલો બેસાડવો જોઇએ કે જો કોઇ પણ રિપોર્ટ આવે તો એ પહેલાં સેબી પાસે જવો જોઇએ. આ કોર્પોરેટ બાબતોના મંત્રાલય પાસે જવો જોઇએ. એ લોકો આવા મામલાની તપાસ કરે અને તેનો નિવેડો લાવે. પરંતુ જો તમે કંપનીઓ પર હુમલો કરવા માટે આવા રિપોર્ટનો ઉપયોગ કરશો તો સેબી પછી ચુપ નહીં રહે. સેબી આવા લોકોની પાછળ લાગી જશે, જે પોતાના ધનવાન હોવાના દમ પર બજારની અસ્થિરતાનો ફાયદો ઉઠાવતા છે અને મધ્યમ વર્ગના રોકાણકારોને આર્થિક ફટકો મારે છે.

વરિષ્ઠ વકીલે કહ્યું કે, ભારત આવા ખેલમાં હજુ નવું છે. આપણે મૂડીબજારને વધારી રહ્યા છે. મધ્યમ વર્ગના રોકાણકારોમાં એવો ડર પેસી ગયો છે કે જો કોઇ કંપની શેરબજારમાં લિસ્ટેડ થાય છે અને કાલે હિંડનબર્ગ જેવો વધુ એક રિપોર્ટ આવી  જાય ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઇ ચુક્યું હોય છે. એટલીવારમાં તો શેરોનું રોકાણ ડુબી જાય છે. મધ્યમ વર્ગના શેરધારકોની આ કમનસીબીમાંથી જેઓ પૈસા કમાઈ રહ્યા છે તેઓ દોષિત છે તે કહેવા માટે આપણી પાસે કોઈ સંસ્થાકીય તંત્ર હોવું જોઈએ.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.