ઈંટ વિનાના ફ્લેટ્સની અનેક વિશેષતા, જાણો આખરે શું છે મિવાન શટરિંગ ટેક્નિક

ઈંટ ઈંટ જોડીને અમે પોતાનું ઘર બનાવ્યું છે, જ્યારે પણ ઘરની વાત થાય છે તો લોકો મોટા ભાગે એમ કહે છે, પરંતુ બદલાતા જમાનામાં વસ્તુઓ ખૂબ બદલાઈ રહી છે. હવે કન્સ્ટ્રક્શનની એક એવી ટેક્નિક આવી ગઈ છે, જેમાં ઇન્ટની જરૂરિયાત સમાપ્ત થઈ જાય છે. થોડા સમય માટે તમે વિચારશો કે ઈંટ વિના કન્સ્ટ્રક્શન કેવી રીતે સંભવ છે? પરંતુ એ હકીકત છે કેમ કે મિવાન ટેક્નિકથી એવું સંભવ થયું છે. ખાસ વાત એ છે કે આ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીથી બનેલા મકાન વધુ મજબૂત બતાવવામાં આવે છે.

ભારતીય રિયલ એસ્ટેટ બજારમાં વધતી માગને સમય પર પૂરી કરવું ડેવલપર્સ માટે એક મોટો પડકાર છે. નિર્માણ પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવા માટે ડેવલપર્સ નવી કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેના માટે તેઓ મિવાન ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આવો તો અમે તમને બતાવીએ કે આખરે શું હોય છે ભવન નિર્માણ માટે આ ટેક્નિક અને તેની શું શું છે વિશેષતા.

શું છે મિવાન શટરિંગ ટેક્નિક?

મિવાન શટરિંગ એક એડવાન્સ ફોર્મવર્ક સિસ્ટમ છે. જેનો ઉપયોગ મજબૂત કોન્ક્રિટ ઇમારતોના નિર્માણ માટે કરવામાં આવે છે. તેમાં ભવનનું બેઝિક સ્ટ્રક્ચર તૈયાર કરવા માટે એલ્યુમિનિયમ પેનલ અને એક્સટ્રૂડેટ પ્રોફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની આ સિસ્ટમ ઓછા સમયમાં નિર્માણને પૂરું કરે છે, જેથી ઓછા સમયમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ બિલ્ડિંગ પ્રોજેક્ટ ડીલિવર થાય છે. મિવાન કન્સ્ટ્રક્શનમાં દીવાલને મજબૂત કરનાર સ્ટીલનો ઉપયોગ બિલ્ડિંગને એક ઢાંચો આપવા અને કોન્ક્રિટના સપોર્ટ માટે કરવામાં આવે છે.

તેના માટે કારખાનામાં તૈયાર એલ્યુમિનિયમ ફોર્મવર્ક સ્ટીલની જાળી સીધા કન્સ્ટ્રકશન સાઇટ પર સ્થાપિત કરવામાં આવે છે. જો કે, પારંપરિક રીતે તૈયાર ભવન નિર્માણ પરિયોજનાઓને પૂરી કરવામાં ખૂબ સમય અને શ્રમ લાગે છે. તો કોઈ કારણથી મોડું થવા પ્રોજેક્ટનો ખર્ચ પણ વધી જાય છે, પરંતુ મિવાન શટરિંગ કન્સ્ટ્રક્શન પ્રોસેસથી આ પડકારોને પહોંચીવળવામાં મદદ મળે છે.

મિવાન ટેકનોલોજીના ફાયદા:

આ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી બિલ્ડિંગને વધુ ભૂકંપ પ્રતિરોધી અને ટકાઉ બનાવે છે. જો કે, જોઇન્ટસની સંખ્યા ઓછી હોય છે એટલે ભવનમાં લીકેજ ઓછું થાય છે એટલે વધુ મેન્ટેનેન્સની જરૂરિયાત હોતી નથી.

મિવાન કન્સ્ટ્રક્શનમાં હાઇ ક્વાલિટીના એલ્યુમિનિયમનો ઉપયોગ ભવનને વધુ મજબૂતી આપે છે.

ઘર બનાવવાની પારંપરિક રીતોની તુલનામાં મિવાન શટરિંગ નિર્માણ પ્રોસેસમાં 30-50 ટકાની તેજી આવે છે. તેનું પરિણામ એ આવે છે કે હાઉસિંગ પ્રોજેક્ટ્સ જલદી તૈયાર થાય છે.

આ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં વધુ કારપેટ એરિયા નીકળવાની સંભાવના હોય છે. તેમ પ્લસ્ટરિંગની પણ જરૂરિયાત હોતી નથી.

દેશમાં ઘણા બિલ્ડર્સ હવે મિવાન ટેક્નોઓજી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. જો કે આ ટેક્નિકથી બનેલા ઘર અને અપાર્ટમેન્ટની કિંમત પારંપરિક રૂપે તૈયાર કરેલા ઘરની તુલનામાં વધારે હોય છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.