લાખો લોકોને રોજગારી આપતા ડાયમંડ ઉદ્યોગ માટે ગુજરાત સરકાર કેમ કઇ કરતી નથી?
ગુજરાત સરકારે તાજેતરમા ટેક્સટાઇલ પોલીસી જાહેર કરી અને કાપડ ઉદ્યોગમાં ખુશી વ્યાપી ગઇ, પરંતુ જે ડાયમંડ ઉદ્યોગ દેશના અબજો રૂપિયાનું હુંડિયામણ પુરુ પાડે છે, જે ઉદ્યોગ લાખો લોકોને રોજગારી પુરી પાડે છે, જે ઉદ્યોગનો ગુજરાતના અર્થતંત્રમા મોટો હિસ્સો છે તેને ગુજરાત સરકાર નજર અંદાજ કરી રહી છે.અત્યાર સુધી ડાયમંડ ઉદ્યોગને સરકાર તરફથી કોઇ મદદ મળી નથી.
ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને ડાયમંડ ઉદ્યોગ માટે પણ પોલીસી જાહેર કરવાની માંગ કરી છે.
કાનાણીએ પત્રમાં લખ્યું છે કે, ડાયમંડ ઉદ્યોગ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યો છે અને અનેક યુનિટો બંધ થવાની નોબત ઉભી થઇ છે. રત્નકલાકારોએ નોકરી ગુમાવવી પડે તેનું પ્રમાણ વધી રહ્યું છે અને પરિવારનું ભરણ પોષણ નહીં કરી શકવાને કારણે રત્નકલાકારો આત્મહત્યાનો માર્ગ અપનાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp