અમદાવાદમાં અસામાજિક તત્ત્વોએ બે લોકોની ગોળી મારીને હત્યા કરી

PC: suchtv.pk

અમદાવાદમાં ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો અમદાવાદના બાવળા આદ્રોડા રોડ પર ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. જમીનની બાબતમાં આ અજાણ્યાઓએ ફાયરિંગ કર્યું હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી દિન પ્રતિદિન કથળી રહી છે. અસામાજિક તત્ત્વોને પોલીસનો ડર રહ્યો ન હોય તેવી રીતે ગુનાહિત પ્રવૃતિમાં સતત વધારો થતો જાય છે. કેટલાક આંકડાઓ અનુસાર ગુજરાતમાં પ્રતિદિન 3 વ્યક્તિની હત્યા થાય છે અને 3 વ્યક્તિઓ પર જીવલેણ હુમલાઓ થાય છે. ગુજરાતમાં સૌથી વધારે હત્યાના ગુના અમદાવાદ શહેરમાં નોંધાયા છે. ત્યારે આજે અમદાવાદમાં અસામાજિક તત્ત્વોએ જમીનની લે-વેચ મામલે બે લોકોએ ગોળી મારીને મોતની ઘાટ ઉતારી દીધા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર જમીન માટે બે જૂથ વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલતી હતી. જેમાં આજે એક ઈસમ બાઉન્સરો સાથે લઈને જમીનનો વિવાદ મામલે બીજા દાવેદાર અથવા તો જમીન માલિકને મળવા આવ્યો હતો. આ દરમિયાન બંનેના માણસો વચ્ચે અથડામણ થઈ હતી. જેથી જે ઈસમ બાઉન્સરો લઈને આવ્યો હતો, તેના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે, કોના દ્વારા કરવામાં આવ્યું છે, તે અંગે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp