અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જાણો કોણે પ્રેમી-પંખીડાઓને ભગાડ્યા
આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે છે, ત્યારે અમદાવાદમાં પ્રેમી-પંખીડાઓને ભાગવાનો વારો આવ્યો છે. અમદાવાદ પોલીસે ઉસ્માનપુરામાં આવેલા રિવરફ્રન્ટ ગાર્ડનને ખાલી કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બજરંગ દળે વેલેન્ટાઇન ડેના વિરોધમાં પત્રિકાઓ વહેંચી હતી. પોલીસને આશંકા હતી કે બજરંગ દળ વિરોધ કરશે, એટલે અમદાવાદ પોલીસે સાવચેતીના ભાગરૂપે પહેલાથી જ યુવક-યુવતીઓને બગીચામાંથી ભગાવી દીધા હતા.
તેમ છતા બજરંગ દળના કાર્યકર્તાઓએ ગાર્ડન બહાર વિરોધ કર્યો હતો અને કેટલાય કાર્યકર્તાઓને પોલીસે ડિટેઇન પણ કર્યા હતા. રિવરફ્રન્ટ ખાતે પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને યુવક-યુવતીઓને ગેટ પરથી જ પાછા જવાનું પોલીસ કહી રહી હતી. ઉસ્માનપુરાના ગાર્ડનમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ હતા, પણ પોલીસે બધાને ગાર્ડનની બહાર કાઢ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp