જિગ્નેશ મેવાણીનો કાર્યક્રમ યોજાવા દેવાતા આચાર્ય હેમંતકુમારે રાજીનામું આપી દીધું

PC: facebook.com

જિગ્નેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજાયેલા કાર્યક્રમ માટે ટ્રસ્ટ દ્વારા હોલ વાપરવાનો ઇનકાર કરવાના વિરોધમાં આચાર્યપદેથી હેમંત શાહે આજે 11 ફેબ્રુઆરી 2019મા રાજીનામું આપ્યું છે. આ સાથે રાજીનામાનો કડક પત્ર અહીં મોકલી આપવામાં આવ્યો છે. જિગ્નેશ મેવાણીને અપાયેલા નિમંત્રણને કારણે વિદ્યાર્થી નેતાઓનું દબાણ આવતાં એચ.કે. આર્ટ્સ કોલેજનો વાર્ષિકોત્સવ રદ કરવાની ફરજ આચાર્યને પાડવામાં આવી હતી.

11 ફેબ્રુઆરી 2019ના રોજ સવારે એચ.કે. આર્ટ્સ કોલેજનો વાર્ષિકોત્સવ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજવામાં નક્કી કરાયો હતો. કેટલાક વિદ્યાર્થી નેતાઓને જિગ્નેશ મેવાણીના નામ સામે વાંધો હોવાથી તેમણે આ કાર્યક્રમ થવા નહિ દઈએ અને ધમાલ થશે એમ ટ્રસ્ટને, આચાર્યને, ઉપાચાર્યને અને કેટલાક અઘ્યાપકોને ધમકી આપી જણાવ્યું હતું.

આમ છતા આચાર્ય અને ઉપાચાર્યની કાર્યક્રમ યોજવાની તેમજ જિગ્નેશ મેવાણીની આ કાર્યક્રમમાં આવવાની સંપૂર્ણ તૈયારી હોવા છતા વર્તમાન રાજકીય સંજોગોમાં ટ્રસ્ટે લેખિત રીતે કોલેજનો હોલ આ કાર્યક્રમ માટે ફાળવવાનો ઇનકાર કર્યો હતો. તેથી વાર્ષિકોત્સવનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp