BJP વડોદરામાં શંકર, સીતા કે પછી રાકેશ અસ્થાનાને ઉતારશે?

ભાજપે ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. હવે આગામી દિવસોમાં બાકીના 11 ઉમેદવારોના નામો પણ જાહેર થઇ જશે. અત્યારે વડોદરા બેઠક પર કોને ટિકીટ મળશે? તેની ભારે ચર્ચા છે. આ પહેલાં વિદેશ મંત્રી એસ. જયશંકરનું નામ ચર્ચામાં હતું, એ પછી રામાયણ સીરિયલમાં સીતા માતાની ભૂમિકા નિભાવનાર દિપીકા ચિખલિયાના નામની ચર્ચા શરૂ થઇ હવે IPS અધિકારી અને તાજેતરમાં દિલ્હીના પોલીસ કમિશ્નર તરીકે નિવૃત થયેલા રાકેશ અસ્થાનાનું નામ સામે આવ્યું છે.

જાણકારોનું કહેવું છે કે ભાજપ રાકેશ અસ્થાનાને વડોદરા બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. અસ્થાના વડોદરાના પોલીસ કમિશ્નર પણ રહી ચૂક્યા છે અને તેમનું વડોદરામાં મતદાર યાદીમાં નામ પણ છે.

તો દિપીકા ચિખલિયાને સુરત બેઠક પરથી ટિકીટ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp