અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ પણ અભિષેક...

PC: twitter.com

ફાઇનલી જેની બધા લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા, તે ખબર આવી ગઇ છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને કોરોનાને હરાવી દીધો છે. આ અંગે અભિષેક બચ્ચને પોતાના ટ્વીટર પર માહિતી આપી હતી. તેણે લખ્યું હતું કે, મારા પિતાનો લેટેસ્ટ કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. તેઓ ઘરે પહોંચી ગયા છે અને આરામ કરી રહ્યા છે. તમારા બધાની પ્રાર્થના અને શુભેચ્છા માટે ખૂબ ખૂબ આભાર. આ સાથે અભિષેકે કહ્યું હતું કે, મને હજુ કોવિડ-19ના થોડા લક્ષણ હોવાથી હું હોસ્પિટલમાં જ એડમીટ રહીશ. આ સાથે જ અભિષેકે એમ પણ કહ્યું હતું કે, હું તમને ખાતરી આપું છું કે, હું પણ આને હરાવીને સ્વસ્થ્ય થઇને પાછો આવીશ.

ઐશ્વર્યા-આરાધ્યાનો 27 જુલાઇએ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો...

બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યાનો કોરોના રિપોર્ટ 27 તારીખે નેગેટિવ આવ્યો હતો. અભિષેક બચ્ચને આ ગૂડન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ઐશ્વર્યા અને આરાધ્યાને નાનાવટી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. કોરોના પોઝિટિવ મળી આવ્યાના 5 દિવસ પછી બંનેને નાનાવટી હોસ્પિટલ દાખલ થયા હતા. તેમને 10 દિવસ હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા.

અભિષેક બચ્ચને ટ્વીટ કરી લખ્યું કે, તમારી સૌની સતત પ્રાર્થનાઓ માટે ખૂબ આભાર. હું હંમેશા તેનો ઋણી રહીશ. ઐશ્વર્યા અને આરાધ્યા કોરોના નેગેટિવ થઇ ગયા છે અને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. તેઓ હવે ઘરે જ રહેશે. મારા પિતા અને હું મેડિકલ સ્ટાફની દેખરેખમાં હોસ્પિટલમાં જ રહીશું.

જણાવી દઇએ કે, 11 જુલાઇના રોજ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ત્યાર પછી 12 જુલાઇએ ઐશ્વર્યા અને આરાધ્યા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જોકે, બંનેમાં લક્ષણ ન દેખાવાના કારણે તેમને ઘરે જ આઇસોલેટ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ હતી કે બંને Asymptomatic હતા, પણ ત્યાર પછી બંનેમાં કોરોનાના અમુક લક્ષણો જોવા મળ્યા હતા બંને માતા-દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જોકે, હજુ પણ અભિષેક હોસ્પિટલમાં જ સારવાર લઇ રહ્યો છે. જણાવી દઇએ કે, અમિતાભ બચ્ચનની તબિયત માટે તેમના ચાહકો સતત તેમના માટે પ્રાર્થના કરી રહ્યા હતા. તમામ સ્થળો પર તેમના સારા સ્વાસ્થ્ય માટે લોકો વ્રત, ઉપવાસ અને હવન કરી રહ્યા હતા. જયા બચ્ચનને છોડીને બચ્ચન પરિવારના તમામ સભ્યોને મુંબઇની નાનાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ હવે આરાધ્યા અને ઐશ્વર્યા બાદ બીગ બીને પણ રજા મળી જતા, હવે માત્ર અભિષેક જ હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp