આઠ શહેરોમાં એકલા રહેતા વડીલોને વિના મૂલ્યે ભોજન પૂરૂં પાડવા હેલ્પલાઇન શરૂ
ગુજરાતના શહેરોમાં એકલા રહેતા નિ:સહાય વૃદ્ધ અને વડીલો તેમજ નિરાધાર વ્યક્તિઓને વિનામૂલ્યે ભોજન આપવાની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. રાજ્યની સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ આ ભોજન ઘેરબેઠાં પુરૂં પાડશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોમાં ઘરે એકલા રહેતા હોય અને ટિફિન મંગાવી ભોજન કરતા હોય તેવા નિ:સહાય વૃદ્ધ વડિલોને અને નિરાધાર વ્યક્તિઓને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં ઘરે બેઠા વિનામૂલ્યે ભોજન સેવા આ મહાનગરોના શહેરી સત્તાતંત્ર જે તે નગરોની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી પૂરી પાડવામાં આવશે.
આ કામગીરી માટે સંબંધિત આઠ મહાનગરોમાં સંપર્ક સૂત્ર અધિકારીઓની સંકલન અને ભોજન વ્યવસ્થા માટે નિયુકિત પણ કરવામાં આવી છે. તદ્દઅનુસાર, અમદાવાદમાં પ્રશાંત પંડયા-- હેલ્પ લાઇન નંબર- ૧૫૫૩૦૩, સુરતમાં- આર. સી. પટેલ–૯૮૨૪૩૪૫૫૬૦, વડોદરામાં ક્રિષ્ણાબહેન સોલંકી–૦૨૬૫-૨૪૫૯૫૦૨ રાજકોટમાં ચેતન ગણાત્રા ૦૨૮૧-૨૪૭૬૮૭૪, જામનગરમાં એ. કે. વસ્તાની ૦૨૮૮–૨૫૫૩૪૧૭, ભાવનગરમાં ડી. એમ. ગોહિલ ૦૨૭૮-૨૪૨૪૮૧૪-૧૫ ગાંધીનગરમાં અમિત સિંઘાઇ ૯૯૦૯૯૫૪૭૦૯ અને જુનાગઢમાં હિતેશ વામજા – ૯૮૯૮૧૪૬૮૬૫નો સંપર્ક સાધી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp