IAS અધિકારી હોવા છતા દંપતિએ તેમના પુત્રનું એડમિશન આંગણવાડીમાં કરાવ્યું

એક IAS અધિકારી દંપત્તિ અત્યારે સાદગી માટે દેશભરમાં ચર્ચામાં છે. એડમિનિસ્ટ્રેશનમાં ઉચ્ચ પદે હોવા છતા આ દંપતિએ તેમના પુત્રનું એડમિશન એક આંગણવાડીમાં કરાવ્યું છે.સામાન્ય રીતે IAS બન્યા પછી અધિકારીઓનો રૂઆબ વધી જતો હોય છે અને એક હાઇ-ફાઇ જીવન જીવતા હોય છે. તેમના સંતાનો પ્રતિષ્ઠીત ખાનગી શાળાઓમાં અથવા તો વિદેશોમાં ભણતા હોય છે. પરંતુ આ દંપતિએ તેમના બાળકને આંગણવાડીમાં ભણાવવાનું નક્કી કર્યું.

આ IAS દંપતિનું નામ છે નીતિન ભદૌરીયા અને તેમના પત્નીનું નામ સ્વાતિ શ્રીવાસ્તવ ભદૌરીયા છે. નીતીન 2011ની બેચના IAS ઓફીસર છે.જ્યારે સ્વાતિ 2012ની બેચના અધિકારી છે. સ્વાતિનું 2011માં સિલેકશન એક નંબરની કમીને કારણે અટકી ગયું હતું. પરંતુ 2012માં તેમણે 74મો રેંક મેળવ્યો હતો અને છત્તીસગઢની કેડરના IAS બન્યા હતા.

હવે આ દંપતિએ તેમના પુત્રનું એડમિશન કોઇ હાઇ ફાઇ ખાનગી સ્કુલમાં લેવાને બદલે આંગણવાડીમાં પ્રવેશ મેળવીને સાદગીની મિશાલ રજૂ કરી છે.

IAS બન્યા પછી સ્વાતિ અને નીતિને લગ્ન કર્યા હતા. લગ્ન પછી સ્વાતિએ છત્તીસગઢ કેડરમાંથી ઉત્તરાખંડ કેડરમાં ટ્રાન્સફર લઇ લીધી હતી. વર્ષ 2016માં નીતિન ભદૌરીયા પિથૌરાગઢના કલેક્ટર બન્યા હતા, પરંતુ તે સમયે સ્વાતિ ગર્ભવતી હોવાને કારણે નીતિન ભદૌરીયાએ કલેક્ટર તરીકેનું પદ છોડી દીધું હતું. જો કે નસીબે તેમને સાથ આપ્યો અને વર્ષ 2018માં પતિ-પત્ની બંને DM બન્યા. સ્વાતિ ચમૌલીમાંથી DM બન્યા તો નીતિન અલ્મોડા જિલ્લાના DM બન્યા.

સ્વાતિ તેમની ઉચ્ચ વિચારસરણી માટે જાણીતા છે, તેમણે  જરૂરિયાતમંદ અને સામાન્ય લોકો માટે ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આ ખાસ પ્રોજેક્ટ છે બચપન (બાળકોની પ્રગતિ અને પોષણ માટે વધુ સારી આંગણવાડી). તેમણે પંચ બદ્રી પ્રસાદમ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો જે હેઠળ ત્યાંના લોકો સરકારી વ્યવસ્થા હેઠળ તુલસી, સ્થાનિક હર્બલ ધૂપ, અખરોટ, આમળાના લાડુ, સરસ્વતી અને કૈલાશ માનસરોવરનું પાણી તૈયાર કરે છે. સ્વાતિના પ્રોજેક્ટને કારણે સ્થાનિક લોકો માટે આવકનું સાધન ઉભું થયું છે અને લોકોના જીવન ધોરણમાં પણ ખાસ્સો સુધારો આવ્યો છે.

સ્વાતિ ભદોરિયાએ સરકારી આંતર કોલેજોમાં સ્માર્ટ ક્લાસ શરૂ કર્યા છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા ફ્રી કોચિંગ ક્લાસ પણ તેમની પહેલનું પરિણામ છે. સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે રવિવારના બજારો અને બાગાયત આઉટલેટ્સનો વિકાસ તેમની ઉત્ક્રાંતિ વિચારસરણીનો એક મહત્વપૂર્ણ ભાગ હોવાનું માનવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.