ઐશ્વર્યા રાય બચ્ચને જણાવ્યું તેના કામ પાછળનું સિક્રેટ, જાણો શું છે ખાસ

PC: idiva.com

અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનું એવું માનવું છે કે કરિયર સબંધિત કામમાં તે સ્કૂલની છોકરી જેવી બની જાય છે અને તેને લાગે છે કે તેની અંદર હજી વધારે કામ કરવાનો ઉત્સાહ હોવો જોઈએ. ઐશ્વર્યાએ વીડિયો કોનફરન્સમાં મીડિયાને જણાવ્યું હતું કે 'મને એવું લાગે છે કે કામ સબંધિત બાબતોમાં અમુક હદ સુધી હું સ્કૂલની છોકરી જેવી હતી. હું નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે કામ કરતી હતી, જેથી સમય જતા મને વધારે ફિલ્મો માટે તક મળતી રહી. હું મારા કાર્યક્રમ અને પ્રોજેક્ટ પ્રતિ ઈમાનદાર હતી.'

ઐશ્વર્યા રાય બચ્ચને જણાવ્યું હતું કે 'હવે હું જ્યારે પાછળ ફરીને જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે મારી અંદર આના કરતા પણ વધારે ફિલ્મો કરવાના જુસ્સાની જરૂર હતી. મેં મારા સહયોગીઓને વર્ષોથી કામ કરતા જોયા છે.' તેણે જણાવ્યું હતું કે 'દુનિયાની વસતી જુઓ, તો કહેવા માટે ઘણી કહાનીઓ છે, પણ કરવા માટે જરૂરી ફિલ્મો અને કામ છે.' મણિરત્નમની ફિલ્મ 'ઈરૂવર'થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરનારી ઐશ્વર્યાએ ભારતના ઘણા જાણીતા ડાયરેક્ટરો જેવા કે સંજય લીલા ભણસાલી, આશુતોષ ગોવારિકર અને રિતુપર્ણો ઘોષ સાથે કામ કર્યું છે.

પુત્રી આરાધ્યાના જન્મના પાંચ વર્ષ પછી 2015મા તેમણે 'જજ્બા' ફિલ્મથી બોલિવુડમાં ફરી એન્ટ્રી કરી હતી. તે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં છેલ્લા 17 વર્ષથી ભાગ લઈ રહી છે અને હંમેશાં પોતાની સ્ટાઈલ અને લુકથી તેના ચાહકોને ઈમ્પ્રેસ કરે છે. ઐશ્વર્યાએ આ વખતે પણ તેના ચાહકોને નિરાશ કર્યા નહોતા. કાન્સમાં આ વખતે પણ તેના લુકને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp