કંગનાનો દાવો- આ બોલિવુડ એક્ટરે છૂપાઈને તેની ફિલ્મ 'થલાઇવી'ના વખાણ કરવા ફોન કર્યો
કંગના રણૌતની આગામી બહુચર્ચિત ફિલ્મ થલાઈવીનું ટ્રેલર થોડા દિવસો પહેલા જ રીલિઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરના વખાણ ફેન્સ અને ક્રિટીક્સ બરાબરના કરી રહ્યા છે. તેવામાં હવે કંગનાએ કહ્યું છે કે બોલિવુડ એક્ટર અક્ષય કુમારે પણ તેની ફિલ્મના આ ટ્રેલરના વખાણ કર્યા છે. જોકે તે ખુલીને બોલી શકે તેમ નથી કારણ કે તેને મૂવિ માફિયાનો ડર છે.
કંગનાએ એક ટ્વીટનો જવાબ આપતા આ અંગે કહ્યું છે. તેણે લખ્યું છે- બોલિવુડ ઘણી શત્રુતાપૂર્ણ જગ્યા છે. જેમાં જો કોઈ મારા વખાણ પણ કરી દે તો તેની સામે મુસીબતોનો પહાડ તૂટી શકે તેમ છે. મને ઘણા મોટા સ્ટાર્સ જેવા કે અક્ષય કુમારના સિક્રેટ કોલ્સ અને મેસેજીસ આવ્યા છે. તેમણે મારી ફિલ્મ થલાઈવીના ટ્રેલરના વખાણ કર્યા છે. પરંતુ આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણના ફિલ્મની જેમ તે મારી ફિલ્મના વખાણ કરી શકે તેમ નથી. મૂવિ માફિયાનો ડર.
Bollywood is so hostile that even to praise me can get people in trouble,I have got many secret calls and messages even from big stars like @akshaykumar they praised @Thalaivithefilm trailer to sky but unlike Alia and Deepika films they can’t openly praise it. Movie mafia terror. https://t.co/MT91TvnbmR
— Kangana Ranaut (@KanganaTeam) April 7, 2021
હવે કંગના રણૌતનો આ દાવો કેટલો સાચો છે તે તો અક્ષય કુમાર જાતે જ કહી શકે તેમ છે. શું ખરેખરમાં અક્ષય કુમારને મૂવિ માફિયાનો ડર છે, તેનો પણ જવાબ તેઓ આપી શકે છે. જણાવી દઈએ કે હાલમાં જ ફિલ્મ થલાઈવીનું પહેલું ગીત ચલી ચલી રીલિઝ થયું છે. જેમાં જયલલિતાના એ દિવસોની ઝલક દેખાડવામાં આવી છે જ્યારે તેણે હિંદી સિનેમામાં પોતાના કદમ મૂક્યા હતા. ચલી ચલી ગીતમાં કંગના પહેલા ઝરણાંની સામે પોતાનો બોલ્ડ અંદાજ દેખાડે છે અને પછી રેટ્રો લૂકમાં પણ જોવા મળે છે. આ ગીત પછી સોશિયલ મીડિયા પર ચલી ચલી ચેલેન્જ ચાલી રહી છે, જેમાં લોકો આ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
#ThalaiviTrailer @vishinduri @thearvindswami @ShaaileshRSingh @BrindaPrasad1 @neeta_lulla #HiteshThakkar #RajatArora @ZeeStudios_ #GothicEntertainment @Thalaivithefilm Official Trailer (Hindi) | Kangana Ranaut | Arvind Swamy | Vi... https://t.co/c5ZRyU5ZJp via @YouTube
— Kangana Ranaut (@KanganaTeam) March 23, 2021
જણાવી દઈએ કે કંગનાએ આ ફિલ્મમાં જયલલિતાના લૂકને 100 ટકા સુધી પહોંચવાની પૂરી કોશિશ કરી છે અને તે પડદાં પર દેખાય પણ છે. તેણે આ ફિલ્મ માટે 20 કિલો વજન પણ વધાર્યું હતું. કંગનાએ થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે તે આ ફિલ્મનું પ્રમોશન નહીં કરે. તેનું કહેવું છે કે તેણે આ ફિલ્મ ફેન્સના ભરોસે છોડી દીધી છે. તેણે કહ્યું હતું કે જયા માએ લોકો માટે જે કામ કર્યું છે તો હવે લોકોનો વારો છે કે તેઓ જયા માને કેટલો પ્રેમ કરે છે તે સાબિત કરીને બતાવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp