શા માટે સલમાન ખાન સુશાંતસિંહ રાજપૂત પર ગુસ્સે થયો

PC: businessofcinema.com

અગર તમે વિચારી રહ્યા હોવ કે સુશાંત સિંહ રાજપૂત અને સલમાન ખાન કોઈ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે, તો બિલકુલ એવું નથી. સલમાનની નારાજગી કોઈ ફિલ્મને લઈ નથી પરંતુ મીડિયાના રીપોર્ટ્સ પ્રમાણે એક પાર્ટીમાં સુશાંત સિંહ રાજપૂતે પોતાના સ્ટારડમના તેવર સલમાનના પ્રિય એવા સૂરજ પંચોલીને બતાવ્યા હતા.

પાર્ટીમાં હાજર એવા એક ઈનસાઈડરના કહેવા પ્રમાણે સૂરજ સાથે ખોટી રીતે વાત કરી રહ્યો હતો અને એ બતાવવાની કોશિશ કરી રહ્યો હતો કે સૂરજે આ ઈન્ડ્સ્ટ્રીમાં કંઈ હાંસિલ કર્યું નથી. સૂરજ પોતે સુશાંતની આ હરકતથી હેરાન હતો કે એક જ ઈન્ડ્સ્ટ્રીમાં રહેતા તે કંઈ રીતે આવું કરી શકે. સૂરજે આ આખી વાત સલમાનને કહી અને સલમાને સુશાંતને ફોન કર્યો અને તેને સમજાવ્યું કે, 'એક જ ઈન્ડ્સ્ટ્રીના હોવાથી એકબીજા સાથે આવું કરવું સારું નથી.'
સુશાંતે તરત જ આ વાત સ્વીકારી લીધી અને કહ્યું કે પોતાના કરવા પર તેઓ શર્મિંદા છે અને ફરીથી તે પાછું આવું નહી કરે. પ્રથમ ફિલ્મ હીરો આવ્યા બાદ સૂરજની પાસે હાલમાં કોઈ નવી ફિલ્મ નથી. સુશાંત હાલમાં તેની ફિલ્મ 'ચન્દા મામા દૂર કે'માં વ્યસ્ત છે, જ્યારે સલમાન તેની ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ'ના રીલિઝ થવાની રાહ જોઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp