17 વર્ષ બાદ બિહારના ગામમાં આવ્યો સુશાંત, પુરી કરી માનતા, કરાવ્યું મુંડન
બોલિવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત હાલ નીતેશ તિવારીની ફિલ્મ 'છિછોરે'નું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મના શિડ્યુલમાંથી સુશાંતને ટાઈમ મળતા જ તે બિહારના ખગડિયા જિલ્લાના બોરને ગામ પહોંચી ગયો. જ્યાં સુશાંતના આવવાનું કારણ ખાસ હતું, કારણ કે એક્ટર આશરે 17 વર્ષ બાદ અહીં આવ્યો હતો. તે એક્ટરનું પૈતૃક ગામ છે.
સુશાંત સિંહ રાજપૂતના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં જણાવવામાં આવી રહ્યું છે કે, સુશાંતની મમ્મીએ માનતા માની હતી કે, દીકરો સાજો રહેશે. સારું કામ કરશે તો અહીં માતાના મંદિરમાં મુંડન કરાવશે. જોકે, હવે સુશાંતની મમ્મી જીવિત નથી. તેમનું નિધન થઈ ચુક્યું છે.
View this post on Instagram@sushantsinghrajput in his hometown Patna, Bihar with his fans 😊😇. #SushantSinghRajput #bihardiaries
A post shared by FAN ACCOUNT (@manish1984443) on
View this post on InstagramSome more pictures of @sushantsinghrajput #sushantsinghrajput #bihardiaries
A post shared by Sushant Singh Rajput FC (@itshaniassrian) on
આ અંગે સુશાંતે કહ્યું હતું કે, મને મમ્મી સાથે પણ પ્રેમ છે અને દેવી મા સાથે પણ, આથી બધુ જ છોડીને માનતા પૂરી કરવા 17 વર્ષ બાદ આવ્યો છું. સુશાંત સોમવારે મુંડન કરાવવા ખગડિયા જિલ્લાના બોરને સ્થિત ભગવતી મંદિર પહોંચ્યો હતો.
View this post on InstagramA post shared by Team Sushant Singh Rajput (@team_sushant_singh_rajput) on
ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે તે વર્ષોથી પોતાના ગામ અને મામાના ઘરે જઈ શક્યો નહોતો. હાલમાં તે તેની મમ્મીની માનતા પૂર્ણ કરવા માટે મંદિર પહોંચ્યો, જ્યાં સામાજિક અને હિંદુ રીતિ રિવાજ અનુસાર તેનું મુંડન કરવામાં આવ્યું. જોકે, તેણે આખા વાળ કાપવાને બદલે પરંપરાને પૂર્ણ કરવા માટે થોડાં વાળ જ કપાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp