2 વર્ષ પછી તારક મેહતામાં આ રીતે કરશે દયાબેન વાપસી, જોઇ લો પ્રોમો

PC: news18.com

સીરિયલ તારક મેહતામાં લાંબા સમયથી દયાબેનના પાત્રની રાહ જોવાઈ રહી છે. ખબર અનુસાર દયાબેન એટલે કે દિશા વકાણી સીરિયલમાં ગરબા સેલિબ્રેશન દરમ્યાન એન્ટ્રી લેશે. આમ, દયાબેનની રાહ જોનારા ચાહકો માટે આ ખુશીના સમાચાર છે.

પ્રોમો રીલિઝઃ

શોના નિર્માતાઓએ એક પ્રોમો રીલિઝ કર્યો છે. જેમાં જેઠાલાલ દયાની રાહ જોઈ રહ્યો છે. તેણે કસમ લીધી છે કે, જ્યાં સુધી દયા પાછી નહિ આવે ત્યાં સુધી તે ગરબા રમશે નહિ. ગોકુળધામની મહિલાઓ જેઠાની કસમ વિશે તેના સાળા સુંદરને જાણ કરે છે.

બાદમાં સુંદર ફોન કરી જેઠાને તે બાબતે પૂછે છે. પ્રોમોમાં જેઠાલાલ સુંદરને કહેતો જોવા મળી રહ્યો છે કે, તે દયા વિના ગરબા રમશે નહિ. જેઠાની આ જીદ સામે સુંદર કહે છે કે, તે રાતે જ દયાને લઈને આવે છે.

હવે જોવાનું એ રહેશે કે, શું ખરેખર દિશા શોમાં ફરી એન્ટ્રી કરી રહી છે. બે વર્ષ પહેલા દિશા વકાણીએ મેટરનિટી લીવ લીધી હતી અને ત્યારબાદ તેઓ પોતાની દીકરીના પાલનપોષણમાં વ્યસ્ત હતા.

આ ઉપરાંત દિશા વકાણીનો પતિ પણ એવું નહોતો ઇચ્છતો કે, દિશા વકાણી દીકરીને છોડીને કામ પર પરત ફરે. દિશા વકાણીને મેકર્સોએ પરત ફરવા માટે ઘણા મનાવ્યા હતા પરંતુ તેઓની કેટલીક શરત મેકર્સ પૂર્ણ કરી શકે તેમ નહોતા એટલા માટે અસિત મોદી ભૂતકાળમાં એવું પણ નિવેદન આપી ચૂક્યા છે કે, દિશા વકાણી કમબેક નહીં કરે તો તેઓ નવી એક્ટ્રેસને કાસ્ટ કરશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, અસિત મોદીએ કરેલી આ જાહેરાતને કારણે દિશા વકાણીએ મેકર્સ સાથે સંપર્ક કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp