અઢી વર્ષની બીજી ટર્મ માટે ડૉ. જગદીશ પટેલની સુરતના મેયર તરીકે નિમણૂક

PC: khabarchhe.com

સુરત મ્યુનિસિપાલિટીના મેયરની અઢી વર્ષની ટર્મ પૂરી થતા મેયરના પદ માટે ડૉ. જગદીશ પટેલ, નિરવ શાહ, અનીલ ગોપલાણી, નિતીનભાઈ ઠાકરનું નામ ચાલી રહ્યું હતું. જેમાંથી ડૉ. જગદીશભાઈ પટેલની સુરતના નવા મેયર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ડેપ્યૂટી મેયર તરીકે નિરવ શાહની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન પદ પર અનિલ ગોપલાણીની નિમણૂક કરવામાં આવી છે.

જ્યારે પક્ષના નેતા તરીકે ગીરજાશંકર મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે દક્ષાબેન જરીવાલાની નિમણૂક કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp