જન ઔષધિ સ્ટોરની સંખ્યા 10,000થી 25,000 સુધી લઈ જવાની વાત કરતા PM

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણના આધારે અમલમાં મુકવામાં આવનારી યોજનાઓની પ્રગતિની ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. PMએ 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાની એટલે કે 2 કરોડ મહિલાઓને SHG અથવા આંગણવાડીઓમાં લખપતિ બનાવવાની વાત કરી હતી. તેમણે આ લક્ષ્‍યાંક હાંસલ કરવા માટે આયોજિત વિવિધ આજીવિકા હસ્તક્ષેપનો સ્ટોક લીધો હતો.

તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં, PMએ 15,000 મહિલા સ્વ-સહાય જૂથોને કૃષિ અને સંબંધિત હેતુઓ માટે ડ્રોનથી સજ્જ કરવાની વાત કરી હતી. PMને આને અમલમાં મૂકવાની યોજનાઓની ઝાંખી આપવામાં આવી હતી, જેમાં મહિલા સ્વસહાય જૂથોની તાલીમથી લઈને પ્રવૃત્તિ પર દેખરેખનો સમાવેશ થાય છે.

PMએ પોસાય તેવી દવાઓની પહોંચ વધારવા માટે ભારતમાં જન ઔષધિ સ્ટોરની સંખ્યા 10,000થી 25,000 સુધી લઈ જવાની વાત પણ કરી હતી. PMએ આ વિસ્તરણ માટે અમલીકરણ વ્યૂહરચનાની સમીક્ષા કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp