23મી જાન્યુઆરીએ પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરાશે: પ્રદિપસિંહ જાડેજા

PC: facebook.com/pg/Pradipsinh.Jadeja.BJP

સંસદિય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, બંધારણના અનુચ્છેદ 188ની જોગવાઇ અનુસાર પ્રોટેમ સ્પીકર તરીકે નિમાનાર સભ્યનો શપથ ગ્રહણ વિધિ સમારોહ આગામી તા. 23/01/2018ના રોજ મંગળવારે સવારે 10:00 કલાકે, રાજભવન ખાતે રાજ્યપાલ સમક્ષ યોજાશે.

બંધારણના અનુચ્છેદ 188ની જોગવાઇને ધ્યાને લઇને 14મી ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યોઓનો સોગંદવિધિ સમારોહ પ્રોટેમ સ્પીકર સમક્ષ આજ દિવસે બપોરે 12:00 કલાકે સાબરમતી હોલ, સ્વર્ણિમ સંકુલ- 1, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે યોજાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

વિધાનસભાનું પ્રથમ સત્ર ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં કેબીનેટ દ્વારા નક્કી કરાયા મુજબ રખાશે. માન. અધ્યક્ષની ચૂંટણી તેમજ રાજ્યપાલના સંબોધન બાદ વિધાનસભા બજેટ સત્રનો ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં પ્રારંભ થશે જે 31 માર્ચ-2018 સુધીમાં પૂર્ણ થશે તેમ પણ મંત્રી જાડેજાએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp