SMCના કર્મચારીઓ સામે જ શાકભાજી માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા

PC: dainikbhaskar.com

કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને દેશમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરતમાં લોકોમાં હજુ પણ કોરોના વાયરસને લઈને જાગૃતિ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે લોકો સોસાયટીની બહાર નીકળી શકતા નથી પરંતુ સોસાયટીની અંદર ખુરશીઓ નાંખીને ટોળે વળીને બેસી રહ્યા છે. આ ઉપરાંત ઘણા લોકો સાથે મળીને ખરીદી કરવા માટે પણ બહાર નીકળી રહ્યા છે.

સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાની દ્વારા સુરતની દરેક સોસાયટી અને એપાર્ટમેન્ટના પ્રમુખોને અપીલ કરી હતી કે લોકોને ઘરની બહાર આવતા અટકાવવા અને સોસાયટીના તમામ લોકોની જગ્યા પર એકથી બે વ્યક્તિને તમામ લોકોની વસ્તુની ખરીદી કરવા માટે બહાર નીકળવા દેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે સુરતના પાંડેસરા વિસ્તારમાં શાકભાજી માર્કેટ ખૂલી થતા જ મોટી સંખ્યામાં લોકો ફળ, ફ્રૂટ અને શાકભાજી લેવા માટે પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા. આ ઉપરાંત કેટલાક લોકો ટોળે વળીને વાતો કરતા પણ નજરે ચડયા હતા. મહત્વની વાત એ છે કે, સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓની નજર સામે જ આ તમામ લોકો રસ્તા પર ખરીદી કરી રહ્યા હતા. લોકોના શાકભાજી માર્કેટમાં મોટી સંખ્યામાં એકઠા થવાથી કોરોન સોશિયલ ટ્રાન્સમિશનથી ફેલાઈ તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. ક્યાંકને ક્યાંક હવે લોકોને કોરોનાવાયરસ ગંભીરતાથી લઈને ઘરની બહાર ન નીકળવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, કેટલાક લોકોને તો પોલીસ ડંડા મારીને કાયદાનું ભાન કરાવે છે. તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર મુકવામાં આવેલા તમામ બાકડાઓને ઊંધાવાડી દેવામાં આવ્યા છે. જેના કારણે લોકો બાકડા પર બેસે નહીં અને એકઠા ન થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp