સુરતઃ 7 ઉમેદવારે ફોર્મ પાછા ખેચતા મતદાન નહીં થાય,ભાજપના ઉમેદવાર લડ્યા વગર જીત્યા
.jpg)
સુરતની લોકસભા બેઠક પર રાજકીય ડ્રામા પછી ફાઈનલ થઈ ગયું છે કે સુરતની બેઠક પર મતદાન કરવાની જ જરૂર નહીં પડે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર થશે અને તેઓ ચૂંટણી લડ્યા વગર જ જીતી ગયા છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયા બાદ આજે BSPના ઉમેદવાર સહિત અન્ય અપક્ષના ઉમેદવારોએ પણ પોતાનું ફોર્મ પાછું ખેચી લેતા હવે ફક્ત ભાજપના ઉમેદવાર જ સુરતની બેઠક પર બચ્યા છે, એટલે તેમને બિનહરિફ જાહેર કરી દેવાશે અને કોઈ ચૂંટણી નહીં યોજાય. આવું ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે કે, સુરતની બેઠક પર બિનહરિફ વિજેતા જાહેર કરાશે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !!
— C R Paatil (Modi Ka Parivar) (@CRPaatil) April 22, 2024
સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !! #PhirEKBarModiSarkar#AbkiBaar400Paar pic.twitter.com/w87WSrla5s
સુરત બેઠક પરથી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું?
ગુજરાતાં લોકસભા 2024ની ચૂંટણી પહેલાં સુરત લોકસભાની બેઠક પર કોંગ્રેસનો મોટો ખેલ થઇ ગયો છે. રવિવારે કલેકટર કચેરીમાં સુનાવણી બાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. સાથે ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ થયું છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ માટે હવે જીતનો માર્ગ વધુ મોકળો થયો છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા પછી ગુજરાત કોંગ્રેસના નેતાઓના નિવેદનો સામે આવ્યા છે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહં ગોહિલે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા પછી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસનું એક પણ ફોર્મ રદ ન થાય તેના માટે કોંગ્રેસ પાર્ટીએ કાળજી રાખી હતી, પરંતુ કોંગ્રેસના ઉમેદવારનો ફોર્મ રદ થાય તેના માટે આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ગોહિલે કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં ભાજપને જાકારો મળી રહ્યો છે તેનો આ ડર છે.
નવસારી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને સિનિયર નેતા નૈષધ દેસાઇએ આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણી પંચનું આ એક મોટું કાવતરું છે. ભાજપના ઉમેદવારે સત્તાનું નગ્ન પ્રદર્શન કર્યું છે. દેસાઇએ આગળ કહ્યું હતું કે, અમે હાઇકોર્ટમાં ન જઇ શકી તેના માટે અમને ચુકાદાની કોપી પણ આપવામાં નથી આવી. તેમણે કહ્યું કે, નિલેશ કુંભાણી હાઇકોર્ટમાં અરજી કરવા માટે જવા નિકળી ગયા છે. અમારી લીગલ ટીમની કોઇ પણ વાત ધ્યાન પર લેવામાં આવી નથી.
गुजरात की आवाम का आक्रोश भाजपा के खिलाफ है जगह जगह भाजपा का विरोध । चुनाव में हार के डर से घबराई और बौखलाई भाजपा ने कांग्रेस के उम्मीदवारों के फॉर्म निष्कासित करवाने के हथकंडे अपना रही है ।
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) April 21, 2024
159 सुरत विधानसभा चुनाव के दौरान नामांकन पत्र में हस्ताक्षर करने वाले मुकर गए थे फिर भी… pic.twitter.com/CNfgpXETJX
સુરત લોકસભા બેઠક પર ભાજપે મુકેશ દલાલને ઉતાર્યા છે તો કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી હતી. ગુજરાતમાં 7 મે 2024ના દિવસે મતદાન થવાનું છે એના માટે 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારોએ ફોર્મ ભરવાના હતા અને 20 એપ્રિલે ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. ચૂંટણી પંચના અધિકારીઓએ એર પત્રમાં કહ્યુ હતું કે, નિલેશ કુંભાણીના ફોર્મમાં જે ટેકેદારોના નામ છે તેમનું એફિડેવીટ મળ્યું છે કે, અમે આ ફોર્મ પર સહી કરી નથી.
[removed][removed]પ્રચંડ વિજયગાથાનો સુરતથી શુભારંભ...
— BJP Gujarat (@BJP4Gujarat) April 22, 2024
સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી @mukeshdalal568 ને બિનહરીફ ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન#PhirEKBarModiSarkar#AbkiBar400Par pic.twitter.com/IiOCL1zAD8
શનિવારે કલેકટર કચેરીએ હોબાળો મચ્યો હતો અને નિલેશ કુંભાણીએ કલેકટર પાસે 1 દિવસનો સમય માંગ્યો હતો, કારણકે ત્રણેય ટેકેદારો ગાયબ થઇ ગયા હતા. રવિવારે સવારે 9 વાગ્યે કલેકટર ઓફિસમાં સુનાવણી શરૂ થઇ, પરંતુ ટેકેદારો હાજર નહોતા રહ્યા એટલે કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp